[:gj]કોરોના બેકાબુ: 24 કલાકમાં 75,760 નવા કેસ: 1023ના મોત[:]

[:gj]આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે.

રિકવરી રેટની વાત કરીએ તો તેમા થોડો વધારો થયો છે. હવે રિકવરી રેટ 76.24 ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે 9,24,998 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે કોરોનાના 7,25,991 એકટીવ કેસ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7,18,711 કેસ છે અને 23,089 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 6839, કર્ણાટકમાં 5091, દિલ્હીમાં 4347, આંધ્રમાં 3541, ગુજરાતમાં 2945, ઉત્તરપ્રદેશમાં 3149 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાના કેસ:

  1. મહારાષ્ટ્રઃ 14,888
  2. આંધ્રપ્રદેશઃ 10,830
  3. કર્ણાટકઃ 8,580
  4. તમિલનાડુઃ 5,958
  5. ઉત્તર પ્રદેશઃ 5,640
  6. ઓડિશાઃ 3,371
  7. બેંગ્લોરઃ 3,284
  8. તેલંગાણાઃ 3,018
  9. પશ્ચિમ બંગાળઃ 2,974
  10. કેરળઃ 2,476
  11. આસામઃ 2,179
  12. બિહારઃ 2,163
  13. મુંબઇઃ 1,854
  14. દિલ્હીઃ 1,693
  15. પુણેઃ 1,617
  16. પંજાબઃ 1,513
  17. થાણેઃ 1,491
  18. હરિયાણાઃ 1,397
  19. રાજસ્થાનઃ 1,345
  20. ગુજરાતઃ 1,197
  21. ઝારખંડઃ 1,137
  22. મધ્યપ્રદેશઃ 1,064
  23. છત્તીસગઢ: 1,045
  24. જમ્મુ-કાશ્મીરઃ 704
  25. ઉત્તરાખંડઃ 535
  26. પુડ્ડુચેરીઃ 504
  27. ગોવાઃ 497
  28. ચંડીગઢઃ 167
  29. હિમાચલ પ્રદેશઃ 167
  30. મણિપુરઃ 141

[:]