અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

પાલનપુર, તા.૨૪
સાબરકાંઠા જીલ્લામાં આવેલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ આગામી બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી માતાના મંદિરમાં આવનાર તમામ યાત્રાળુઓની સગવડતા ખાતર કારતક સુદ-૧ (એકમ) સોમવારને તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
તા.૨૮/૧૦/૨૦૧૯ સોમવાર (બેસતું વર્ષ)
આરતી સવારે-૬.૦૦ થી ૬.૩૦
દર્શન સવારે-૬.૩૦ થી ૧૦.૪૫
રાજભોગ-૧૨.૦૦ થી ૧૨.૧૫
અન્નકુટ આરતી-૧૨.૧૫ થી ૧૨.૩૦
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.૨૯/૧૦/૨૦૧૯ થી
તા.૦૩/૧૧/૨૦૧૯ સુધી
આરતી સવારે-૬.૩૦ થી ૭.૦૦
દર્શન સવારે-૭.૦૦ થી ૧૧.૩૦
રાજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.૦૪/૧૧/૨૦૧૯થી દર્શનનો
સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે-૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે-૮.૦૦ થી ૧૧.૩૦
રાજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૧.૦૦