એર લાયન્સને વેચવા કાઢ્યા બાદ હવે વિમાન ટિકીટ મોંઘી થશે

એર ઈન્ડિયાને ફૂંકી મારવા માટે બહાર પડાયેલા ટેન્ડર બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ લગાવાશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્‌યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં તેમાં ૪ ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે. એરપોર્ટ નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ વસુલ કરે છે. ફ્‌લાઈટ મુસાફરો પાસેથી આ ચાર્જ પ્રતિ ફ્‌લાઈટના આધારે લેવામાં આવે છે. મંત્રલાયે આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય માટે આગામી અઠવાડીયામાં એક બેઠક પર યોજી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.