કચ્છમાંને લાલ તિલક સાથે નવરાત્રીની ઉજવણીમાં અપાશે પ્રવેશ

આદ્યશક્તિની આરાધનાના ઉત્સવ નવરાત્રિનો આરંભ ૯ ઓક્ટોબરથી થઇ રહ્યો છે. નવલા નોરતા અને નવરાત્રીની ગરીમા જળવાય તે માટે હિંદુ યુવા સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિધર્મીને નવરાત્રી પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કચ્છના ભૂજ, અંજાર, માંડવી, સહિતના શહેરમાં નવરાત્રીમાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લવ જેહાદ જેવા કિસ્સા અટકાવવા માટે હિંદુ સંગઠન દ્વારા નવરાત્રીમાં વિધર્મી પ્રવેશ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી માંડવીમાં વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે યોજાનાર નવરાત્રીના આયોજનમાં વિધર્મીઓને ગરબીના મંડપમાં પ્રવેશ પ્રતિબંધનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના માંડવી, ભૂજ, અંજાર સહિતના શહેરમાં યોજાતા નવરાત્રી ગરબામાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાયો છે. નવરાત્રી પંડાલમાં આવતા  લોકોના કપાળ પર તિલક અને ગૌમૂત્રનો અભિષેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. જેમાં નવરાત્રીના ઉત્સવમાં બિનહિંદુ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેમાં પ્રવેશતા રોકવા આ નિર્ણય લેવાયો છે. કચ્છમાં લવ જેહાદ જેવી ઘટના અટકાવવા માટે હિંદુ સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
છેલ્લા પાંચ વર્ષથી કચ્છના માંડવીમાં વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અંજારમાં પણ નવરાત્રીમાં બિનહિંદુ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન હિંદુ સંગઠન કાર્યકરો ગરબીમાં આવતા તમામ લોકો પર ગૌમૂત્રનો અભિષેક અને લાલ તિલક કર્યા બાદ નવરાત્રી પંડાલમાં પ્રવેશ આપવામાં આવશે. આમ કચ્છનાં માંડવી, અંજાર અને ભૂજ બિનહિંદુને નવરાત્રીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.