ગુજરાત કોંગ્રેસ પાસે નાણાં ખૂટી પડતાં દરેક મતદાન મથક દીઠ પ્રજા પાસેથી રૂ.5,000નું દાન મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરો હાથ લાંબો કરે છે. પક્ષને આર્થિક રીતે મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે. આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભા બેઠક ગીઠ એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. 20 વર્ષથી કોંગ્રેસપક્ષ શાસનમાં ન હોવાથી ભંડોળ એકત્રીત કરવું ખૂબ મુશ્કેલરૂપ બન્યું છે. ગુજરાતમાં 55 હજાર જેટલા મતદાન મથકો છે. દરેક મતદાન મથક દીઠ રૂ.5000 દાન મળવીને તે લોકસભાની ચૂંટણીમાં ખર્ચ કરવાનું છે. ભાજપ એક બુથ દીઠ રૂ.55,000 હજારનું ગયા વર્ષે ખર્ચ કર્યું હતું. આ વખતે તે બે ગણું થવાનું છે. તેના કાર્યકરોને બુથ દીઠ નાણાં આપ્યા હતા. જ્યારે કોંગ્રેસમાં તો બુથ દીઠ દાન મેળવવું પડી રહ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ રૂ.5,000 ૫ક્ષ માટે ભંડોળ એકત્ર કરવાનાં આદેશો કર્યા છે. આથી ગુજરાતની 26 લોકસભા બેઠક ૫ર રૂ.30 કરોડોનું ૫ક્ષનું ભંડોળ એકત્ર કરવા કોંગ્રેસના કાર્યકરો કચવાટ સાથે દોડઘામ કરી રહ્યા છે. કાર્યકરો કહે છે કે, મત અને પૈસા એમ બન્ને મેળવવા મુશ્કેલ છે. ભાજપ પાસે ઉદ્યોગપતિઓનું અબજો રૂપિયાનું ફંડ આવી રહ્યું છે. તેના ઉમેદવારો જ કરોડ પતિ હોય છે. જ્યારે કોંગ્રેસમાં એવું નથી થઈ શકતું. એક મતદાન મથકમાં 1000થી 1200 મતદારો હોય છે. ભાજપ એક મતદાન મથક દીઠ
2 ઓકટોબર થી 19 નવેમ્બર, 2018 માં લોક સંપર્ક અભિયાન શરૂ કરાયું છે. તેમાં બેઠક થઈ રહી છે તેમાં પ્રથમ વખત મતદાર બનતા મતદાર ઉપર ભાર મૂકવા આવી રહ્યો છે. કોંગ્રેસના સભ્ય પદ નોંધણી કરવામાં આવી રહી છે. મતદાર વિષે સબંધિત વિગતો એકત્ર કરી શકિત પ્રોજેક્ટમાં જોડવામાં આવી રહ્યાં છે. દરેક મતદાન મથક દીઠ 10 સહયોગીઓ નિમવા અને દરેક સહયોગીને દરેક મથક દીઠ 20-25 પરિવારો સાથે સંપર્કની જવાબદારી સોંપવામાં આવી રહી છે. મતદાન મથક કક્ષાના કાર્યકરોના સહયોગથી પારદર્શી અને પધ્ધતીસર રીતે પક્ષ માટે ભંડોળ ઉભુ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે 1લી જાન્યુઆરી થી 28મી જાન્યુઆરી દરમ્યાન હાથ ધરવાનું રહેશે. 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને આ વર્ષ માટે ભંડોળ એકત્રીકરણ સાથે આ ઝુંબેશ 2જીઓકટોબર 2018થી 19નવેમ્બર, દરમ્યાન હાથ ધરવાની રહેશે. ત્યારે લોકસભા બેઠક દીઠ ૫ હજારથી વઘુ બુથો ૫ર કોંગ્રેસ લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ ૫ હજાર રૂપિયા ૫ક્ષ ભંડોળ એકત્ર કરવાનાં આદેશો થયા છે.
MLA ઘર-ઘર સુધી પહોંચવા સહયોગ આપશે
ધારાસભ્યોએ લોકસંપર્કમાં સહયોગ આપવો એવો આદેશ કરાયો છે. ઉપરાંત પક્ષની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ગાંધીજી જયંતિથી લોકસંપર્કનો પ્રારંભ થયો છે. તેમાં ધારાસભ્યોને પણ જોતરવામાં આવ્યા છે.
તાલુકાદીઠ નિરિક્ષકોની કોંગ્રેસે નિમણૂંક કરી
લોકસભા વિસ્તારમાં લાખો મતદારો સુધી પહોંચવા માટે બુથ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે દરેક જિલ્લા કોંગ્રેસ દ્વા્રા તાલુકા અને શહેર માટે ૧૫ જેટલા નિરીક્ષકોની નિમણૂંક કરી છે. હજુ કેટલાંક જિલ્લાઓમાં આ કામગીરી પૂરી થઈ નથી. જેનો હિસાબ દિલ્હી કોંગ્રેસ માંગી રહી છે.