મોડાસાના ખંભીસર ગામે દલિત ડાહ્યાંભાઇ પૂંજાભાઈ રાઠોડના પુત્ર જયેશ રાઠોડના લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને મોટી બબાલ થઇ હતી. જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જયેશના લગ્ન પૂર્ણ થયા બાદ જાનૈયાઓ પરત ફર્યા હતા. જેમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવા, પોલીસ પર પથ્થરમારો કરવા અને પોલીસની હત્યાનો પ્રયાસ કરવા બદલ મોડાસા રૂરલ પોલીસ મથકમાં રાષ્ટ્રીય હિત રક્ષક દળના પ્રમુખ હસમુખ સક્સેના સહિત 200 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ડીવાયએસપી ફાલ્ગુની પટેલે અહી અપશબ્દો બોલ્યાં હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવાની એસપી મયૂર પાટીલે ખાતરી આપી છે. ગામમાં દલિત પરિવારના વરરાજાના વરઘોડાનો વિરોધ થયો હતો, બીજા જૂથના લોકો અહી રસ્તા પર બેસી ગયા હતા અને વરઘોડો અટકાવ્યો હતો ત્યારે પોલીસ બંદોબસ્ત બાદ વરરાજાનો ગામમાં વરઘોડો નીકળ્યો હતો.