ખેડૂતોને ન્યાય માટે કૃષિ નિયામકની કચેરીમાં ધરણા, રાતવાસો

ગાંધીનગરના કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરી સામે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. જેમાં બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસીને ખેડૂતોના પ્રસાનોની વાચા આપી હતી.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી. તે આપવા માંગણી કરી છે.

ગાંધીનગર ખાતે કૃષિ નિયામકની ચેમ્બરમાં કોંગી MLAએ કર્યું રાત્રી રોકાણ કર્યું છે. તેઓ 18 કલાક કરતાં પણ વધારે સમયથી ધરણાં પર બેઠેલો છે. પરંતુ અધિકારીઓ કે સરકાર પાસેથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઈને રાજ્યપાલ અને લોક અદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે.

ભાજપ સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી.