ખેડૂતોને હજુ સહાય મળી નથી

રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત ખેડુતોને રૂ. ૨૩૫૫ કરોડના ભંડોળ માંથી  રૂ. ૧૧૭૬ કરોડનું ચુકવણૂં હાલ થઇ રહ્યું છે.
૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ઉપરાંત ઓછો વરસાદ ધરાવતાં વધુ ૪૫ તાલુકાઓ માટે પણ રાજય સરકારે સવિશેષ કાળજી લઇને પોતાના બજેટમાંથી રૂપિયા ૮૦૦ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં રૂપિયા ૧૪૦૦ કરોડ અને ખાસ પેકેજ હેઠળના ૪૫ તાલુકાઓ માટે રૂપિયા ૮૦૦ કરોડની ઇન પુટ સબસીડી રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી રહી છે. રાજય સરકાર પાસે ડીઝાસ્ટર ફંડ હેઠળ ઉપલબ્ધ રકમના ૫૦ ટકા લેખે રૂપિયા ૧૧૭૭ કરોડ થાય તેને ગણતરીમાં લઇને કરીને કેન્દ્ર સરકાર દ્વારા ઘટતી રકમની ફાળવણી કરવાની હોય છે. તે મુજબ વધારાના રૂપિયા ૧૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ રાજય સરકાર હસ્તકની રકમ રૂપિયા ૨૩૫૫ કરોડ ઉપરાંત કેન્દ્ર સરકારે વધારાના રૂપિયા ૧૨૭ કરોડ ફાળવ્યા છે. રાજય સરકાર પાસે સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ હેઠળ ઉપલબ્ધ રકમમાં ૯૦ ટકા જેટલો હિસ્સો કેન્દ્ર સરકાર પાસેથી મળ્યો છે. વખતોવખત કેન્દ્ર સરકારે રાજય સરકારને અછતની પરિસ્થિતિને પહોંચી વળવા પુરતી મદદ કરશે.
કર્યો છે. જે મુજબ હવેથી, ગૌશાળા/પાંજરાપોળ/કેટલ કેમ્પમાં આશ્રિત પશુઓ માટે પશુ સહાય પેટે પ્રતિદિન પ્રતિ પશુ રૂ. 35 ચુકવવામાં આવશે.