ગીરનો બે વર્ષ જુનો 15 સિંહણનો વિડીયો દલખાણીયા તરીકે ફેક વાયરલ થયો

જ્યાં 24 સિંહ પરિવારજનોના મોત થયા છે ત્યાં દલખાણીયા રેન્જમાં એક પણ સિંહ નથી. જે બચી ગયા છે તેમને પણ ત્યાંથી બચવીને જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે. આ હકીકત હોવા છતાં આજે એવો વિડીયો વાયરલ થયો છે કે દલખાણીયા રેંજમાં 15 સિંહણ અને સિંહ ફરી રહ્યા છે. એવો વિડીયો આજે વાયરલ થયો છે. જે ખોટો છે. ખરેખર તો આ વિડિયો ગીરનો છે. અમરેલીનો નથી.
આ વિડિયો 2016માં દિલીપ ઝીરુકા નામના સિંહ પ્રેમીએ ટીવી મિડિયામાં રીલિઝ કરેલો હતો. જેને આજે ગીર અભયારણ્યના બદલે અમરેલી ધારીનો વિડીયો બતાવેલા છે, એવું નથી. આ વાતને ગીર આર એફ ઓ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે.
ગીરકાંઠાને અડીને આવેલી દલખાણીયા રેંજ કરમદડી, કાંગસા અને દલખાણીયા એમ ત્રણ રાઉન્ડમા ફેલાયેલી છે. 8000 હેકટર વિસ્તારમા ફેલાયેલી આ રેંજમા 22 સાવજો કાયમી વસવાટ કરતા હતા. જે પૈકી 14 સાવજનો સફાયો થઇ ગયો છે. ત્યાં આ સિંહ શકય નથી.