ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે સરકાર હવે ક્રુઝ સેવા શરુ કરવાનું વિચારી રહીછે. ગુજરાતના વિશાળ દરિયાકિનારા પર ૨૨ જેટલા બંદરો આવેલા છે. ગુજરાતના ૨૨ નાના બંદરોનો પબ્લિક પ્રાઇવેટ પાર્ટરશીપ મોડેલથી વિકસાવવામાં આવશે આ બંદરોનો વિકાસ થાય તો રાજ્યને આર્થિક રીતે ફાયદો થાય તેથી સરકાર ક્રુઝ સેવા શરુ કરવાનું વિચારી રહીછે. સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરને જોડીને ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનવવાનું પણ સરકાર વિચારણા કરી રહી છે.
ગુજરાત રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળોને આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને તેમજ ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્રુઝ સેવા શરુ કરવાની વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યુકે સોમનાથ- દ્વારકા – પોરબંદરને જોડીને ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનાવવા સરકાર વિચારણા કરી રહી છે. આના દ્વારા ગુજરાતના ૨૨ જેટલા બંદરોનો પબ્લિક પ્રાઇવેટ પાર્ટરશીપ મોડલથી વિકાસ કરવામાં આવશે. આના ભાગ રૂપે વેરાવળ ખાતે ક્રુઝ ટર્મિનલ બનાવવા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતને આધારે પ્રિ-ફિઝીબિલીટી રીપોર્ટ તૈયાર કરવા સુચના અપાઈ છે. દરેક બંદર પર ફિશરિંગ જેટી, એગ્રીકલ્ચર જેટી, શિપ સમારકામ જેટી બનાવવામાં આવશે. નવલખી બંદરથી સીરામીક માલસામાન હેરાફેરી કરી શકાય તેવું પણ આયોજન થઈ રહ્યું છે.
ગુજરાતના દરિયાકિનારાના વિકાસ માટે સરકાર દ્વારા ક્રુઝ સેવા શરુ કરવાના વિચારનું અમલીકરણ થઇ રહ્યું છે તે જોતા આવનારા દિવસોમાં ગુજરાતના દરિયાકિનારે આવેલા બંદરોની રોનક જુદા જ સ્વરૂપમાં મળે તો નવાઈ નહિ.