અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે શહેરના દિનેશ હોલ ખાતે અપેક્ષા કરતા પણ ઓછા લોકોની હાજરીમાં સંબોધન કરવાની ફરજ પડી હતી.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વીતેલા પાંચ વર્ષમાં દેશ સુરક્ષિત બન્યો છે.અને આવનારા પાંચ વર્ષમાં દેશ એ વિશ્વની નંબર એકથી ત્રણની મહાસત્તા બને એ દિશામાં વડાપ્રધાન કામ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ,તેરમા નાણાપંચમાં ગુજરાતને કોંગ્રેસે કરેલા અન્યાય સામે વડાપ્રધાન મોદીની સરકાર બન્યા બાદ ૧૪ મા પંચમાં ગુજરાતને અગાઉ કરતા ૨૭૭ ટકા વધુ રકમ એટલે કે રૂપિયા ૮૭ હજાર કરોડની રકમ ફાળવવામા આવી હોવાનુ તેમણે કહ્યુ.અમદાવાદ શહેરમાં મેટ્રો રેલના બીજા ફેઝ માટે રૂપિયા ૫૩૮૪ કરોડની ફાળવણી કરી હોવાનુ તેમણે કહ્યુ હતુ.
અમદાવાદ શહેરના વિકાસ માટે વડાપ્રધાન મોદી આજે પણ ચિંતીત હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ,ચૂંટણી સમયે તેઓ રાતે માત્ર છ કલાક જ આરામ કરતા હતા.તેમના અથાગ પ્રયાસોના કારણે લોકસભામાં પહેલી વખત સામાન્ય બેઠકો પરથી ૭૮ જેટલા મહીલા સાંસદો ચૂંટાઈને આવ્યા છે.તેમણે કહ્યુ,અમદાવાદમાં મેટ્રો આવી હવે બુલેટ ટ્રેન પણ ભવિષ્યમાં આવશે.મેટ્રો માટે બીજા ચરણમાં કેન્દ્ર તરફથી ૫૩૮૪ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.વડાપ્રધાનના નેતૃત્વમાં આવનારા પાંચ વર્ષમાં દરેકને ઘર,વીજળી ,ટોઈલેટ મળી રહે એવી યોજનાઓ અમલમાં મુકાશે.જેથી આવનારા પાંચ વર્ષમાં ન્યુ ઈÂન્ડયાની પરિકલ્પના સાકાર થઈ શકે એટલુ જ નહીં પણ ભારત એ દુનિયાની ટોપ ત્રણ મહાસત્તાઓ પૈકી એકથી ત્રણ નંબરમાં રહે.અમારી સરકારે અગાઉના પાંચ વર્ષમાં દેશની સરહદો સુરક્ષિત કરી છે.હવે વિકાસની ગતિ પકડી આપણે દેશને શિરમોર બનાવવો છે.દેશનો વિકાસ ત્યારે જ સંભવ બનશે જયારે તમામ નાગરીક પોતાનુ યોગદાન એમા આપે.કોંગ્રેસ ગુજરાતને અન્યાય કરતી હોવાનુ કહી કહ્યુ,તેરમા નાણાંપંચ સમયે ગુજરાતને માત્ર ૨૩ હજાર કરોડની રકમ ફાળવવામા આવી હતી.જેની સરખામણીમાં અમારી સરકારે પાંચ વર્ષમાં ગુજરાતને વિવિધ યોજનાઓ માટે રૂપિયા ૮૭ હજાર કરોડની ફાળવણી કરી છે.ગુજરાતમાં નર્મદા યોજના પુરી થઈ.હવે મેટ્રો અને પછી ગુજરાત એ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર બને એ વડાપ્રધાનનુ સપનુ હોવાનુ કહી તેમણે તમામ લોકો વિકાસમાં પોતાનુ યોગદાન આપે એ માટે અપીલ કરી હતી.