ગુજરાતમાં રૂબેલા રસીની 30 સ્થળે ગંભીર ફરિયાદ છતાં સરકાર નિંભર

ગુજરાતમાં રુબેલા રસીકરણ અભિયાન ગુજરાત સરકારે હાથ ધર્યું છે, ત્યાર પછી નાના બાળકોની તબિયત બગડવા અને મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં 20 બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેમને રૂબેલા રસી આપવામાં આવી હતી, તેમની તબિયત ખરાબ થઈ હતી. કૂલ 238 બાળકોમાંથી 198 બાળકોને રસી આપવામાં આવી હતી. 17 જુલાઈના રોજ આ રસી આપવામાં આવી અને 19 જુલાઈના રોજ તાવ શરદી ઉધરસ અને શરીરે લાલ ચકામા થયા હતા. જે આ રસી બતાવવામાં આવી રહ્યું છે. ઝીંઝુવાળા ગામમાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વિરમગામ ખાતે વધારે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરે આ અંગે ઓડી સી.ડી.એચ.ઓ ને જાણ કરી હતી. કેટલા બાળકો ઓઢા ગામ ખાતે રસીના રિએક્શનનો ભોગ બન્યા હતા. સાત બાળકો તેમાં હજી જો બાળકોને લાલ ચકામાં આજે પણ જોવા મળી રહ્યા છે. મેડિકલ ઓફિસર એવું કહે છે કે, જો રસીના વિપરીત લક્ષણ હોય તો તાત્કાલિક અસર થાય, બે દિવસ પછી ન હોય. તેને ઓરી નિકળે એનો ગાળો 14 દિવસનો છે. એના લીધે થયું છે. બાળકોને અસર થઈ છે, એમાં જાનકી વિષ્ણુ રબારી, ગોપી, ભીમજી, દેવિકા, કુશીલ, કિંજલ, લખો, પીહુ, પૂજા,  ભાવના, ઉર્વશિ,  પૃથ્વીરાજ, વિષ્ણુ, રવિ, કૃપા, યક્ષ વગેરે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આવી ગંભીર ઘટના બની હોવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઝુંબેશ પડતી મૂકવા માગતા નથી. રાજનેતાઓ અને અધિકારીઓ બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે.

અન્ય એક કિસ્સામાં સમગ્ર રાજ્યમાં રૂબેલા રસી મૂકવાના કારણે અનેક બાળકોને રિએક્શન આયા છે. નાના બાળકો બીમાર પડી ગયા છે. કેટલાંક મોત પણ થયા હોવાનો લોકો આરોપ મૂકી રહ્યાં છે. તેમ છતાં રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ હજુ પણ ચાલુ રહી છે. સરકાર પોતે બાળકોના જીવનું જોખમ ઊભું કરી રહી છે. ભિલોડા તાલુકામાં રસીકરણ બાદ 30 બાળકોની તબિયત એકાએક લથડી ગઈ હતી. તેમને સારવાર આપી પડી છે, સાત વર્ષના બાળકનું મોત થયું છે. ત્યારે તે બાળકનું કેમ મોત થયું છે એની તપાસ કરતો પોર્ટ મોર્ટમ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખે રસીકરણ મુલતવી રાખવા માટેની માગણી કરી છે. બાળકોના ભવિષ્યમાં મોત થશે તો એના માટેની જવાબદારી કોણ ઉઠાવશે તેવો સવાલ પણ એમણે ઉઠાવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં એક લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી છે. ભિલોડા તાલુકામાં બાળકો બીમાર પડી ગયા હતા અને બાળકોને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. વળી છેલ્લા બે દિવસમાં 18 બાળકોની તબિયત લથડી છે અને ભિલોડા હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. વાઘેશ્વરી શાળામાં બનેલી આ ઘટનાના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાલીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. હવે વાલીઓ બાળકોને રસી આપવા જતા નથી. બાળકોના ભયના કારણે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારે રસીકરણ કાર્યક્રમ સ્થગિત કરવા માંગણી કરી છે, પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાનું પણ કહ્યું છે. જ્યારે બીજીબાજુ રાજ્ય સરકાર આટલી બધી ઘટનાઓ રાજ્યભરમાં બની રહી હોવા છતાં, પણ પરાણે રસી આપવામાં આવી રહી છે. બાળકો અને વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, રૂબેલા રસી મુકાવવાથી કોઈ આડઅસર થતી નથી. પરંતુ અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 30 જેટલા અલગ અલગ સ્થળે બનાવો બન્યા છે કે જેમાં રીએક્શન આવ્યું .હોય તેમ છતાં સરકાર રસીકરણ કાર્યક્રમ પડતો મૂકવાના બદલે રસી આપવાનું ચાલુ રાખ્યું. છે એક કરોડથી વધારે બાળકોને આવરી રસી મૂકવામાં લેવાશે.  પહેલી નજરે જ કોઈ તો રસી આપ્યા પછી અમુક વર્ષો સુધી તેની શું અસર થશે તેનો અભ્યાસ રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ નથી, કે રાજ્ય સરકારે આ રસીના કારણે ગુજરાતના લોકો પર શું અસર થઈ રહી છે એનો કોઈ જ અભ્યાસ કર્યો નથી. માત્ર વિદેશી કંપનીઓને રૂ.300 કરોડ કમાવી આપવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો હોવાનો આરોપ છે. લોકોના આરોગ્ય સાથે ભાજપ સરકાર ચેડા કરી રહી હોવાના આરોપો મુકવામાં આવી રહ્યા છે. સરકારી અધિકારીઓ કહે છે કે રસીના કારણે આ બીમારી આવતી હોવાના થોડા આરોપો ઊભા કરવામાં આવી રહ્યા છે. રસી સુરક્ષિત છે, એવું પણ સરકારી અધિકારીઓ વારંવાર કહી રહ્યા છે. રસી મૂકવાથી શું થયું છે તે અંગે કારણો શોધવામાં આવતાં નથી. અધિકારીઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એ પહેલાં જ એમણે જાહેર કર્યું છે કે, તેની કોઈ આડ અસર નથી. તેઓ જે કંઈ કહી રહ્યાં છે તે વિદેશી લોકો પર કરેલાં પ્રયોગોના આધારે કહી રહ્યાં છે. પણ ગુજરાતની આબોહવા અને ગુજરાતી લોકોનો ખોરાક અલગ છે. તેથી તેની અલગ અસર પણ થઈ શકે છે.