ગુજરાતમાં 5000થી વધું લોકો આત્મવિલોપર કરવા તૈયાર

ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે સમસ્યાથી ઘેરાયેલાં મેગાસિટી અમદાવાદમાં એક વર્ષમાં કલેકટર સમક્ષ 409 લોકોએ આત્મવિલોપન કરવાની મંજૂરી માંગી છે. સમગ્ર ગુજરાતમાં 5000થી વધું લોકોએ રૂપીણી સરકાર સામે આત્મવિલોપન કરવા તૈયાર થયા છે.

છેલ્લા કેટલાક સમયથી આત્મવિલોપનની ધમકીઓમાં વધારો થયો છે. જેના પરિણામે અમદાવાદ કલેકટર કચેરીમાં ગત ડિસેમ્બર મહિનામાં સ્પેશિયલ સેલની રચના કરાઈ હતી. જે બાદ જાણે આત્મવિલોપનની ચિમકીઓનો રાફળો ફાટી નિકળ્યો છે. આ સ્પેશિયલ સેલને એક વર્ષમાં કુલ 409 જેટલી આત્મવિલોપનની અરજી વિવિધ શાખા સબંધિત મળી છે. જે પૈકીથી 350થી વધુ અરજીઓનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આત્મવિલોપનની ચિમકીની અરજીમા સૌથી વધુ અરજી પોલીસ શાખા સબંધિત એટલે કે 128 અરજી CP ઓફીસ અને 67 SP અમદાવાદ ઓફીસને મળી છે. એટલું જ નહીં મહાનગરપાલિકામાં 28, જિલ્લા પંચાયત કચેરી 21 અરજી અને અન્ય શાખાની કુલ ૧૨૮ આત્મવિલોપનની અરજી એક વર્ષમાં થઈ છે.

કેટલાક માથાભારે શખ્સો દ્વારા ગુજારવામાં અત્યાચાર, સરકારની કામગીરીની સામે નારાજગી સહિતના મુદ્દે લોકો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારે છે. એટલું જ નહીં જિલ્લા કલેકટર તથા પોલીસ વડાની કચેરી પાસે કેરોસીન લઈને જઈને આત્મવિલોપનનો પ્રયાસ કરતા હોવાની ઘટના સામે આવે છે.