જયારે ગુજરાત કુલ 451 સ્થાનોમાં જેમાં ગ્રામ્ય અને શહેરના 414 મંડલમાં અને મહાનગરમાં 37 વિધાનસભા સીટ ઉપર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવનાર મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત માર્ગદર્શન મેળવશે.
કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર ભારત દેશમાં તા.26 ફેબ્રુ-19 ના રોજ, સાંજે 6-30 કલાકે દરેક બુથમાં “કમલ જ્યોતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે ગુજરાતની 162 નગરપાલિકોઓમાં એક જ સ્થાન ઉપર 100 થી 150 કમલ દિપ પ્રગટાવવામાં આવશે જયારે મહાનગરોમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક સ્થાન ઉપર 1500 જેટલા કમલ દિપ પ્રગટાવવામાં આવશે. જયારે ગુજરાતનાં 41 જીલ્લા અને મહાનગરોમાં આવેલ તમામ મંડલોના બુથમાં આજ સમયે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ઘરે તેમજ કાર્યકર્તાઓના ઘરે કમલ દિપ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ પ્રદેશ પ્રવક્તા પંડયાએ વધુમાં જણાવ્યું હતું.
15 થી 20 ફેબ્રુ સુધીમાં દરેક જીલ્લામાં શક્તિકેન્દ્રના વિસ્તારકો માટે અભ્યાસ વર્ગો પૂર્ણ થયાં છે. તેમજ હવે, 21 થી 25 ફેબ્રુ સુધીમાં ગુજરાતના 9500 શક્તિકેન્દ્રો ઉપર ભાજપના 10,000થી પણ વધુ કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે કામગીરી કરી રહ્યાં છે અને હવે 26 ફેબ્રુ થી ગુજરાતના 50,000 બુથમાં 50,000 કાર્યકર્તાઓ ભાજપની નીતિ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરશે.