રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના લાયસન્સ પ્રથા દૂર કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે. ગરીબ શ્રમજીવીઓ માટે શોષણ વધશે એવું માનવામાં આવે છે
ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ સૈધ્ધાંતિક નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ૧૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યીક એકમ માટે રૂ. પ૦૦, ૧૦ કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂ. રપ૦, ૧૦ કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂ. પ૦૦ તથા ૧૦ થી ઓછી કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂ. ૨પ૦ની ફી રાખવાનું સૂચવાયું છે.
વન ટાઇમ ફી ના આ ધોરણોમાં રેસીડેન્શયલ હોટેલ્સ માટે રૂ. રપ૦૦, રેસ્ટોરન્ટ અને ખાન-પાન ગૃહો માટે રૂ. ૧૦૦૦, સિનેમાગૃહો તેમજ જનતા જનાર્દનના જાહેર મનોરંજન માટેના સ્થળો માટે રૂ. પ હજાર તેમજ જે એસ્ટાબ્લીશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમને વન ટાઇમ ફી તરીકે રૂ. રપ૦ ભરવાના રહેશે.