ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી
રકમ માટે રાજય સરકારે રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી યોજના જાહેર કરી છે.
રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ
મળશે.
વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ
વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે. માત્ર રૂા. ૫૦૦/- જેવી તદન નજીવી રકમ
ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી,
નવીન વીજળી જોડાણ મેળવી શકશે.
કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા
કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્થિતિના કારણે
કે અન્ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ ૧૨૬ અને
૧૩૫ હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગ્રાહકોમાંથી ઘણાં
વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. આવા તમામ ગ્રાહકોને ફરીથી
વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ
ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્ધ થશે.
સમયમાં વીજળી પ્રાપ્ત થતાં સિંચાઇ સુવિધા મળવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને
તેમની આવક વધતા તેમનું જીવન ધોરણ સુધરશે. વીજ જોડાણો ચાલુ થતાં ગરીબ અને
મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે અને તેમનું જીવન સુવિધાપૂર્ણ બનશે. ગ્રામ્ય
વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગો ધમધમતા થશે. વિદ્યતુ પુરવઠો પુનઃ સ્થાપિત થવાના કારણે ગરીબ
અને મધ્યમ વર્ગના પરિવારોના સંતાનો અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ’’એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ
તા. ૧૮/૧૨/૨૦૧૮ સુધીના નિર્દિષ્ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને આપવામાં આવશે અને
આ યોજનાનો અમલ તા. ૧૯/૧૨/૨૦૧૮ થી તા. ૨૮/૨/૨૦૧૯ સુધી એટલે કે બે માસ સુધી
ચાલુ રહેશે.