જો અટલ બિહારી વાજપેયી ન હોત તો આ ૪ બાબત માં ભારત પાછળ રહી જાત

તા:૧૬,  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ  પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ  છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને  આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી.

જ્યારે ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સત્તા સોંપી તો ભારતની અર્થવ્યવસ્થા મજબૂતી તરફ દૃઢતાથી આગળ વધી રહી હતી. જ્યારે ભારતનો GDP દર ૮% થી પણ વધુ હતો. મોંઘવારી ૪% થી પણ ઓછી હતી અને વિદેશી વિનિમય ભંડાર તત્કાલીન સમયના હિસાબથી ઊંચા  સ્તર પર  હતો.

૨૦૧૮ માં ૧૬  ઓગસ્ટે અટલ બિહારી વાજપેયીનું જ્યારે દિલ્હીમાં અવસાન થયું તો સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ  છવાઈ ગયું હતું. 3 વાર ભારતના વડાપ્રધાન બનેલા વાજપેયીનો જન્મ ૨૫  ડિસેમ્બર ૧૯૨૪ ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયીએ  દેશની દિશા અને દશા બદલવા માટે કામ કર્યુ. તેમના એ ચાર મોટા પગલાં નો પ્રભાવ આપણે આજે પણ રોજિંદા જીવનમાં જોઈ શકીએ છીએ તેના વિશે જાણીએ.

  1. ટેલિકોમ ક્રાંતિ : વાજપેયી સરકાર જ્યારે પોતાની નવી ટેલિકોમ નીતિ લઈને આવી તો તેણે નિયત લાઇસન્સ ફીને બદલે રેવન્યૂ શેરિંગની વ્યવસ્થા કરી દીધી હતી. આમ તે વાજપેયીની જ સરકાર હતી, જેણે આંતરરાષ્ટ્રીય ટેલિફોનમાં વિદેશ સંચાર નિગમ લિમિટેડને ખતમ કરી  નાખ્યું અને પ્રાઇવેટ કંપનીઓની પ્રતિસ્પર્ધાનું સ્થાન બનાવ્યું. આજે  જેના કારણે પણ  વિદેશમાં ફોન કરવાના ખર્ચમાં ઘટાડો આવી ગયો છે

આ ઉપરાંત, વાજપેયી સરકારે ટેલિકોમ સુધારા  માટે અનેક સારા પગલા પણ  લીધા. તેનો જ પ્રભાવ આજે ટેલિકોમ સેક્ટર પર જોઈ શકાય છે. વાજપેયીના સમયમાં આવેલા સાધારણ મોબાઇલ ફોનથી આજના સ્માર્ટફોન, 4G નેટવર્કની પૃષ્ઠભૂમિ અને ફ્રી કોલિંગ જેવી સુવિધાઓનો શ્રેય ઘણે અંશે અટલ બિહારી વાજપેયીને જાય છે.

  1. સ્વર્ણિમ ચતુર્ભુજ અને ગ્રામ સડક યોજના : અટલ બિહારી વાજપેયીની સૌથી મહત્વની પરિયોજનાઓમાં એક હતી સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના અને ગ્રામ સડક યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત જ્યાં ચેન્નઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને હાઈવેથી કનેક્ટ કરી વેપાર અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં અદ્વિતીય કામ કર્યુ તો બીજી તરફ તેઓએ ગ્રામ સડક યોજના હેઠળ ગામોને પાકા રસ્તા દ્વારા શહેરો સાથે જોડ્યા અને દેશને આર્થિક વિકાસનું એક સફળ મોડલ પણ આપ્યું છે.

  1. નાણાકીય ખોટમાં ઐતિહાસિક ઘટાડો લાવવો : અટલ બિહારી વાજપેયીની સરકારે નાણાકીય ખોટમાં ઘટાડો લાવવા માટે નાણાકીય જવાબદારી એક્ટ બનાવ્યો. તેના કારણે સાર્વજનિક ક્ષેત્રોની બચતમાં મજબૂતી આવી અને તે નાણાકીય વર્ષ ૨૦૦૦ માં GDP -0.૮ %થી વધીને નાણાકીય વર્ષમાં ૨.૩% સુધી પહોંચી ગયો.
  2. સર્વ શિક્ષા અભિયાન : આ યોજના ૨૦૦૧ માં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનો પ્લાન હતો. આ યોજના લાગુ થતાં જ પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઝડપથી વધવા લાગી. એક અનુમાન મુજબ માત્ર આ યોજના લાગુ થવાના ૪ વર્ષની અંદર સ્કૂલ ન જનારા બાળકોની સંખ્યામાં ૬૦ % ઘટાડો નોંધાયો હતો.