ટેકાના ભાવનો વિરોધ કેટલાક APMC ના દલાલ મંડળોજ કરે છે

ગુજરાતના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં મુખ્યમંત્રી ભવંતર યોજના ના બદલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે.
તો બીજી તરફ રાજ્યના તમામ માર્કેટ બંધ હોવાની વાત સત્યથી વેગળી હોવાનું જણાવ્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું .કે આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને જેતપુર સિવાયની સમગ્ર સૌરાષ્ટ્ર ,ગુજરાત અને કચ્છની તમામ બજાર સમિતિઓ ચાલુ જ છે.
એટલે સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટીંગયાર્ડ બન્ધ છે તે વાત  તદ્દન ખોટી હોવાનું જણાવ્યું છે.
પત્રકાર પરિષદમાં  આ અંગે વધુ માહિતી આપતા  આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજ્ય માં ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે.
ત્યારે અમે મુખ્યમંત્રી ભાવાંતર યોજના નો અભ્યાસ કર્યો હતો
સાથે સાથે ખેડૂતો ના ટેકા ના ભાવ માટે એક કરતાં વધુ બેઠકો કરવામાં આવી હતી .આ બેઠકોમાં
છણાવટ કર્યા બાદ ટેકાના ભાવ વાળી સ્કીમ રાજ્યના ખેડૂતોને અનુકૂળ આવશે. તેવું તારણ આવતા  આ સ્કીમ અમલી કરવાનો નિર્ણય કર્યો હોવાનું  સ્વીકાર કર્યો હતો. આજથી શરૂ થયેલા મગફળી ની ખરીદી અંગે આર.સી.ફળદુએ જણાવ્યું હતું. કે વહીવટીતંત્ર ને સાથે રાખી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.  જેમાં અંદાજિત4,065 ખેડૂતો એ છેલ્લા 2 કલાક માં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું  હતું .તમારી આ સ્કીમ થી ખેડૂતો નારાજ છે ?તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આર.સી.ફળદુ એ સ્પષ્ટતા કરી હતી કે જો રાજ્યના
ખેડૂતો નારાજ હોત તો ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે લાઈનો લાગી ન હોત જોકે ખેડૂતોને સાત બારના દાખલા માટે
હાલાકી ન પડે તે માટે  ગ્રામસેવક નો  આધાર લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે .આ તબક્કે અપીલ કરતા  કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક તલાટી ઓ એ ખેડુતો ના લાભ માટે મદદરૂપ થવા કૃષિમંત્રીએ પ્રેસ માધ્યમ થીઅપીલ કરી હતી.
અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે ટેકાના ભાવ નો વિરોધ માત્ર ને માત્ર કેટલાક એપીએમસીના દલાલ મંડળો દ્વારા જ કરવામાં આવે છે .ત્યારે આ વિરોધ ખેડૂતોનો છે જ નહીં તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ટેકા ના ભાવ ની ખરીદી અંગે નાફેડ સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી છે.
અને ગયા વર્ષ જેવી ખામી ના રહે તેની તકેદારી રાખવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો.
રાજ્યમાં અન્ય જગ્યાએ મોટી મોટી લાઈનો હજુ પણ લાગી રહી છે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે
 કેટલીક જગ્યા એ સર્વર ડાઉન હોવાથી કે કામ નકરતા હોવાથી ખેડૂતો ને મુશ્કેલી ઓ પડી રહી છે.
 પરંતુ  ટેક્નિકલ ખામી  સુધારવા તંત્ર પ્રયત્નશીલ છે  અને  છેલ્લામાં છેલ્લો ખેડૂત  ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવે ત્યાં સુધી અમે આ પ્રક્રિયા બંધ કરીશું નહીં . ઉપરાંત ખેડૂતો ને પૂરતા ભાવ મળે તે માટે  રાજ્ય સરકારે ખામીયુક્ત ડિઝાઇન બનાવી ટેકા ના ભાવ ની પ્રક્રિયા  કરવામાં આવી રહી હોવાનું  જણાવ્યું હતું.સાથે સાથે ખેડૂતોની  ઉન્નતિ થાય તેમ કેન્દ્ર સરકાર ન નિયમો ને ધ્યાને લઇ રાજ્ય સરકાર કામ કરી રહી હોવાનું  આર.સી.ફળદુ એ જણાવ્યું હતું. તો બીજી તરફ પ્રતિ ક્વિન્ટલ 5000 રૂપિયા જે નક્કી કર્યા છે તે પૈસા ખેડૂતના ખાતામાં જમા થઈ જશે એવો વિશ્વાસ પત્રકાર પરિષદમાં  આપ્યો હતો.