ડાંગમા રૂબેલા રસીમાં બાળકો એકાએક વધી ગયા

રાજ્યમાં ગત તા.૧૬ જુલાઇ-૨૦૧૮થી ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને તમામ જિલ્લા-તાલુકા-શહેર અને ગ્રામ્યસ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રસીકરણથી એક પણ બાળકને આડઅસર થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી. રાજ્યમાં પ્રથમ ડાંગ જિલ્લામાં ૬૦,૪૯૭ બાળકોના લક્ષ્યાંક સામે આજદીન સુધી ૬૨,૭૯૫ બાળકોનું રસીકરણ કરાયું છે, એટલે કે ૧૩૩.૦૮ ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે. સમગ્ર રાજ્યમાં આજદીન સુધી નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ ૧,૬૦,૧૬,૩૭૫ બાળકો સામે ૮૩,૩૦,૨૭૩ બાળકોનું સફળ રસીકરણ કરાયું છે એટલે કે ૬૭.૫૨ ટકા બાળકોને આવરી લેવાયા છે.

આ ઉપરાંત મુખ્યત્વે સુરત જિલ્લામાં આજદીન સુધી નક્કી કરેલા લક્ષ્યાંક સામે ૧૦૧.૧૫ ટકા વલસાડમાં ૮૯.૯૮ ટકા, તાપીમાં ૮૫.૦૮ ટકા, રાજકોટમાં ૮૨.૦૧, બનાસકાંઠામાં ૮૧.૭૬, જામનગરમાં ૮૧.૬૯, રાજકોટ મહાનગરપાલિકામાં ૮૦.૯૮, સાબરકાંઠામાં ૭૯.૫૧, સુરત મહાનગરપાલિકામાં ૭૯.૪૪, મહિસાગરમાં ૭૭.૭૩, નવસારીમાં ૭૭.૫૦, પોરબંદરમાં ૭૬.૭૬, બોટાદમાં ૭૬.૫૬, પંચમહાલમાં ૭૫.૪૫, અરવલ્લીમાં ૭૫.૩૮, દેવભૂમિ-દ્વારકામાં ૭૫.૦૫, કચ્છમાં ૭૪.૭૮, પાટણમાં ૭૪.૬૨, સુરેન્દ્રનગરમાં ૭૧.૦૬, અને છોટાઉદેપુરમાં ૭૦.૨૭ થી વધુ રસીકરણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રસીકરણ અભિયાનમાં ૧૦૦ ટકા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયો છે. આ અભિયાન અંતર્ગત એકપણ બાળક ઓરી-રૂબેલા રસી વિનાનું રહી ન જાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે. જે જિલ્લા-શહેરો-સ્કૂલોમાં ૧૦૦ ટકા રસીકરણ થયું હોય તેને પ્રમાણપત્ર આપીને સન્માનીત પણ કરવામાં આવે છે. કચ્છ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના બાળ નિષ્ણાંતોએ બાળકોને રસીકરણ બાદ કોઇપણ પ્રકારની તકલીફ ઉભી થાય તો બાળકોને વિનામૂલ્યે સારવાર આપવાની પણ તૈયારી દર્શાવીને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ અભિયાનમાં મંત્રીઓ, રાજ્ય સરકારના સનદી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓ પોતાના બાળકોને સરકારના આ અભિયાન થકી ઓરી-રૂબેલાની રસી અપાવીને અન્ય માટે પ્રેરણારૂપ ભૂમિકા ભજવી છે. આ અભિયાનમાં બાકી રહેલા બાળકોને પણ નજીકના આરોગ્ય કેન્દ્રો-શાળામાં રસી અપાવે તેવો બાળકોના માતા-પિતાને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.