શ્રાવણી અનુષ્ઠાન સફળ થાય અને કોઈનું ઋણ ન રહે તે માટે જૂનાગઢ ભવનાથ રૂદ્રજાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી સાધુએ 14 વર્ષ પહેલાં દાનમાં મળેલી દેવાળીયા પાર્ક નજીકની કરોડો રૂપિયાની 27 વિઘા જમીન દાન આપનાર પરિવારને પરત કરી દીધી છે. આશ્રમની આ જમીન પર આંબાના વૃક્ષો ઉગાડવામાં આવેલા છે. અલસ માલિક પરિવારની આર્થિક સ્થિતી ખરાબ થતાં આ કરોડોની જમીન પરત આપી છે. શ્રાવણી અમાસે આશ્રમ સ્થળે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં જમીન પરત આપવા જાહેરાત કરી છે.
રાજકોટના રસિકલાલ એન્ડ કંપનીના માલિક દ્વારા ઈ.સ.2004માં આપી હતી. ધાર્મિક સ્થળે સાસણ ગીરમાં આધ્યાત્મિક ફાર્મહાઉસ સાધુએ તૈયાર કર્યું છે. જેમાં 400 આંબા છે. રાજકોટ સ્થિત કે. રસિકલાલ એન્ડ કંપનીના વ્યવસાયમાં ખોટ આવતા આ પરિવાર ઉપર આર્થિક અને સામાજિક સ્થિતી ખરાબ થઈ હતી. તેમની તમામ મિલકતો વેચાઈ ગઈ છે. રાજકોટમાં રસિકલાલ દવેના ભક્તિનગર સર્કલ પર બંગલામાં સંતો અને કલાકાર સતત આવતાં હતા.
ઇન્દ્રભારતી બાપુને દાનમાં મળેલી જમીન પરત કરતાં સાધુએ સાધુતા બતાવી છે. દરેક સ્થળે પૈસાનો પ્રભાવ જોવા મળે છે પણ અહીં તો પ્રેમ અને દાનવીર તરીકે નો પ્રભાવ જોવા મળે છે.