ન્યૂ દિલ્હી,તા:23
દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દરમિયાન નજરે સ્પષ્ટ દેખાઈ આવતું હતું……! કોમનમેન આ પાણી પ્રશ્ને ભાજપાથી અંતર રાખી રહ્યો છે. દિલ્હી રાજ્યના મતદારોના કહેવા મુજબ જે પ્રજાકીય મૂળ સળગતા મુદ્દાઓ છે તે મુદ્દાઓ ભાજપાના નેતાઓ કેમ નથી ઉઠાવતા….? પ્રજાહિતના સળગતા મુદ્દા કે જે ખુદ ભાજપ સરકારની દેણ છે. એટલા માટે તો મૂળ પ્રશ્નોથી ભાજપા ભાગે છે. પરંતુ ભાજપાએ સમજી લેવાની જરૂર છે કે કેજરીવાલ સરકારે પ્રજાની મુખ્ય જરૂરત એવા તેમના સંતાનોને ઓછી ફી વાળુ સારું શિક્ષણ સાથે આધુનિક સુવિધાઓ સાથે લેબોરેટરી ધરાવતી જે શાળાઓ આપવા સાથે ઠોસ શિક્ષણ આપતા શિક્ષકો આપીને આમ પ્રજાના માથેથી શિક્ષણનું ભારણ દૂર કરી દીધું છે. ત્યારે ભાજપાએ વિશ્વ કક્ષાની જે એન યુનિવર્સિટી બંધ થઈ જાય- ગરીબો, મજુર, મધ્યમ વર્ગના સંતાનો શિક્ષણ મેળવી ન શકે તેવા ફી ધોરણો ફટકારીને વિદ્યાર્થીઓના અમારા સંતાનોના ભવિષ્ય સાથે મોટો ખેલ કરી રહી છે….! ત્યારે ભાજપાની સાથે જવું કેટલું ઉચિત છે…..?
સ્થાનિક મતદારોના કહેવાનું સાદ મોટી મોટી વાતો કરવા અને હથેળીમાં જાન બતાવવામાં ભાજપમાં હેર છે પરંતુ હવે લોકો તેની કરણી અને પત્નીને સમજી ગયા છે બંધી એક એક કરી તેના પરિણામો આવ્યા તેવો સવાલ કરતા તેઓએ કહ્યું કે અત્યારે પણ લોકો તેના પરિણામો ભોગવી રહ્યા છે અને કોને નોકરીઓ ઓછી થઇ ગઇ છે અને નાના મોટા ભૂલી જ ચીજ વસ્તુ બનાવતા કાર ખરા બંધ થઈ ગયા છે મહિલાઓને સાડી કાપડ સહિતના વિવિધ વર્ક દ્વારા જે ધંધામાં રોજગારી મળી રહેતી હતી આજે પરિસ્થિતિ એ છે કે આ બજારો ધંધા-ઉદ્યોગ બંધ થઈ ગયા છે તે મહિલાઓ જે કામ કરતી હતી તેવા કામ થઈ ગયા છે આ બધું છતાં ભાજપના નેતાઓએ દિલ્હી વિધાનસભા કે સંસદમાં આ મુદ્દો પણ ઉઠાવ્યો નથી તે હકીકત કે મોંઘવારી તો લોકોની કમર તોડી નાખી છે અને મોટાભાગના લોકો ત્રસ્ત છે તો ગરીબોની કસ્તુરી ડુંગળી લસણ કરતા સફરજનના ભાવ વધ્યા છે આમાં કઈ જ ભાજપ નેતાઓને દેખાતું નથી પગાર ભથ્થા અને સરકારી નાગો મળે લાઈટ બિલ પાણી ટેલિફોન બધુ મફત અને તેમની કેન્ટીનમાં મગજના બહારના ખાવાનું મળે એટલે તેમને અને મોંઘવારી જાવાનો કોઈ સંબંધ નથી જ્યારે સામાન્ય વ્યક્તિને મહિને ૧૫ હજારથી ૩૦ હજાર પગાર મળતો હોય તે કમાતા હોય તેમાં મકાન બારા મોંઘવારી બધું જ મળે અને કામધંધો જાવાનો ખર્ચ થતા આજે પણ દેખાતું નથી આવી હૈયાવરાળ દિલ્હીની એક નોખરિયાત મહિલાએ ઠાલવી હતી……!
દિલ્હીવાસીઓના કહેવા મુજબ ભાજપ સરકારનું દેશમાં છેલ્લા સાતેક વરસથી શાસન છે. પણ ગરીબ, મજૂર, મધ્યમવર્ગ માટે એવું કયું કામ કર્યું કે તેમને રાહત મળે. કેજરીવાલ સરકારે તો પાણી મફત આપ્યુ છે, વીજળી ૨૦૦ સુધી મફતમાં આપી છે, એક પૈસા નહી. શિક્ષણ મફત જેવું કરી દીધું છે તો દિલ્હીની સરકારી શાળાઓ જુઓ એક-એકથી ચડિયાતી છે. તેમા બેગમપુરની શાળા, કાલકાજી શાળા, ભલસ્વા. ડેરી શાળા, દિલ્હી નાનકપુર શાળા, મોતીબાગની શાળા, સરસ્વતી વિહાર, લાજપત નગર, દ્વારકા દિલ્લી શાળા, પછી ખીચડીપુર શાળા જેવી અનેક શાળાઓ જુઓ એક એકથી સુદર સારી શાળાઓ બનાવી છે. સ્કૂલોની અંદર વિવિધ રમત ગમતની વ્યવસ્થા કરવામા આવી છે. એ તો ઠીક સીસીટીવી કેમેરા ગોઠવાયા છે જેથી બાળકોની પ્રવૃત્તિ પણ તેના વાલીઓ જાઈ શકે છે. કેજરીવાલ સરકારે લગભગ સાડા ચારસો જેટલી ખાનગી શાળાઓના પાટીયા ઉતારી દીધા છે અને પોતાને હસ્તક લઈને જ છે આધુનિકતા આપી છે. શાળાઓમાં બાળકો પણ હોંશે હોંશે જાય છે. તો મધ્યાન્હ ભોજન આપવામાં આવે છે તે ખૂબ જ સારું હોય છે પૌષ્ટિક હોય છે અને અનેક બાળકો એવા છે કે જેઓ શાળાનું ભોજન ખાય છે. બાળકોના હેલ્થ માટે ૨૦૦ ગ્રામ સુગંધી આપવામાં આવે છે. દેશમાં અન્ય કઈ બીજી કોઈ પણ સરકારે ગરીબોના બાળકોને માટે આવી સુવિધા કરી છે….? દવાકિય ખર્ચ બચાવવા સામાન્ય લોકોનો ખર્ચ બચે એટલા માટે મહોલ્લે-મહોલ્લે દવાખાના ઉભા કર્યા છે બનાવી દીધા છે જ્યાં ડોક્ટરો-દવા બધું જ મફતમાં આપે છે. પછી લોકો તેમની સાથે જ રહેવાનાને….?! ભાજપા સરકારે શું આપ્યું…..? જે કોંગ્રેસની સરકારે લોકોને-વિદ્યાર્થીઓને આપ્યું છે તે પણ તેને લઈ લેવા તૈયાર થઈ ગઈ છે. આમાં પાણી માટે લોકો ટેકો નહીં આપે તે ભાજપના નેતાઓએ સમજવાની જરૂર છે…..! અત્યારે જેએનયુનો પ્રશ્ન દરેકની સામે છે. જ્યાં ગરીબ, મધ્યમવર્ગ, શ્રમજીવીના બાળકો જ ભણે છે. વિશ્વ હરોળમા ગણાતી આ યુનિવર્સિટી અહીની ફી નહીવત છે. જે ભાજપાને પસંદ નથી એટલે ફી વધારો કરી સામાન્ય વર્ગના બાળકો ભણી ન શકે તવો ફી વધારો કરી નાખ્યો.જેથી ગરીબો,મજૂર,મધ્યમ વર્ગ અભ્યાસ ન કરી શકે. જે તે સમયે કોગ્રેસ સરકારે સામાન્ય વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ નહીવત ફી મા મળી રહે તેવા શુભ આશયથી અનેક યુનિવર્સિટી ઓ ઉભી કરી અને સારુ શિક્ષણ આપ્યુ છે. આવી તો કેટલીક યુનિવર્સિટીઓ છે જે કોંગ્રેસના સમયની છે અને તે બધી સફળ રહી છે. જેના જે તે વિદ્યાર્થીઓએ દેશની સેવા કરવામા અને વિદેશમાં નામના કમાયા છે. જેને ભાજપા સરકાર છીનવી લેવા માગે છે….! સામાન્ય વર્ગના બાળકોની આવી સુવિધા ભાજપા સરકાર આપી શકશે….? તેવો સવાલ નોકરી કરતી એક ગ્રેજ્યુએટ મહિલાએ કર્યો હતો.