નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં ?

જાન્યુઆરી 2018માં રચાયેલી નવી નવેલી ભાજપની રૂપાણી સરકારમાં સારા ખાતા ન આપતાં ભાજપના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આડા ચાલતાં રહ્યાં છે. જે બિનગુજરાતીઓને ગુજરાત બહાર મોકલવાના છેલ્લાં પ્રકરણ સુધી તેમની સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પહેલેથી જ રૂપાણી સરકારમાં પહેલેથી જ ટખા શરૂં થયા હતા જે આજે પણ ચાલું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, નીતિન પટેલને મુખ્ય પ્રધાન થવું છે એટલે તેઓ બિન ગુજરાતી આંદોલનને અંદરથી ટેકો આપી રહ્યાં છે.

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પાસેથી ફાઈનાન્સ, શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ ત્રણ મહત્વના ખાતા લઈ લેવાયા ત્યારથી વિજય રૂપાણી પર ખાર ખાઈ રહ્યાં છે. 2016માં નીતિન પટેલ મુખ્ય પ્રધાનના દાવેદાર હતા. પણ તેમને સ્થાને વિજય રૂપાણીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ બેસાડી દીધા હતા.

છેલ્લી ઘડીએ નીતિન પટેલને મુખ્યમંત્રીના બદલે ઉપમુખ્યમંત્રી જાહેર કરાયા બાદ ફરી ફરીને તેમની સાથે ક્ષોભજનક પરિસ્થિતિ મૂકવામાં આવે છે. પટેલે ફાયનાન્સ અને શહેરી વિકાસ ખાતાની માંગણી કરી હતી પરંતુ તેમને કદ પ્રમાણે વેતરી નંખાયા હતા ત્યારથી તેઓ ખીજાયા છે. વિજય રૂપાણી પણ તેમને ગણકારતાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે હવે નીતિન પટેલને જરા પણ ભાવ આપતાં નથી. તેથી તેઓ વિજય રૂપાણીની સરકારને બદનામ કરીને પોતે મુખ્ય પ્રધાન બનવા માંગતા હોવાનો તેમના પર આરોપ છે. જોકે સોમનાથ મંદિરમાં પૂત્રને પાંચ રૂપિયાનું દાન કરતાં રોકનારા નીતિન પટેલને તે વિડિયો નડી રહ્યો છે. વળી પુત્રનું દારુનું પ્રકરણ પણ નડી રહ્યું છે.

ઉપમુખ્યમંત્રી અનેક કારણોસર નારાજ છે. જુનિયર સૌરભ પટેલને તેમના સ્થાને નાણાં વિભાગનો પોર્ટફોલિયો આપી દેવાયો હતો તેને આજે પણ તેઓ અપમાન માને છે. ફાયનાન્સ ખાતાની ફાળવણી અંગે નારાજગીની વાત સપાટી પર ત્યારે આવી હતી. જયારે રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘એ વાત સાચી નથી કે ફાયનાન્સનું ખાતુ સંભાળનાર વ્યકિત કેબિનેટમાં નંબર 2 પોઝિશન પર હોય. નીતિન પટેલ અમારા અગ્રણી નેતા છે અને તે કેબિનેટમાં નંબર 2 પર જ રહેશે.

રૂપાણી અને ભાજપના રાજયકક્ષાના મંત્રી જીતુ વાઘાણી સાથે હાઈકમાન્ડની વાતચીત પછી કેબિનેટ મીટીંગમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

હજું એ સ્થિતીમાં બહું ફેર પડ્યો નથી. તેઓ નવો દાવ લેવની ફીરાક કરતાં હોય તેવું લાગી રહ્યું છે.