બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગઇકાલે છ આરોપીઓની ધરપકડ કરી તેમાં મહંમદ ફારૂક વહાબ કુરેશી પણ હતો. મહમંદ ફારૂક વહાબ કુરેશીની વિગત તપાસતા ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે.
અને લખવીન્દર સીધુ સહિતના આરોપીઓના નામો ખૂલતાં હવે પેપરલીક કૌભાંડમાં રાજકીય દંગલ જામ્યુ છે.
એમએસ પબ્લીક સ્કૂલના ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો કે, સ્કૂલનો તમામ વહીવટ ફારૂક શેખ સંભાળતો હતો. દરમ્યાન ડીઇઓએ હવે એમએસ સ્કૂલ પાસેથી જરૂરી ખુલાસો પણ માંગ્યો છે. તો, આ કૌભાંડમાં પ્રવિણદાન ગઢવી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશી અને જયરાજસિંહ પરમારે આ કૌભાંડમાં પકડાયેલો આરોપી મહંમદ ફારૂક વહાબ કુરેશી(સંચાલક, એમએસ પબ્લીક સ્કૂલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
તેની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસે મહંમદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી સાથેના ફોટોઝ પણ રીલીઝ કર્યા છે. જે પ્રકારે રજૂઆતો થઈ છે તેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરની તપાસનું શું થયું, બાકીની ૩૮ ફરિયાદોનું શું થયું તેની કોઈ સ્પષ્ટતા નહી હોવા અંગે પણ કોંગ્રેસ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લખવિંદરસિંહ વિદ્યાર્થી નેતા છે અને વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીના પ્રશ્નમાં સક્રિય હોય છે.
મેં તો તેમનો મનસુખ માંડવીયા સાથે પણ ફોટો જોયો છે. કોઈ વ્યક્તિનો બચાવ નથી પણ તેનાથી ભાજપ કે કોંગ્રેસ જવાબદાર હોય તેમ નથી માનતા. કોઈએ ખોટું કર્યું હોય તો તેની સામે પગલા લેવા જોઈએ.