પશુધન માટે ૭ કરોડ કિ.ગ્રામ ઘાસચારાનું આયોજન કરાશે

સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે. રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પંજાબ રાજ્યમાંથી લાવીને ઘઉંની પરાળનો અછતગ્રસ્ત વિસ્તારના પશુધન માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ-સર્વેક્ષણ માટે એક ટીમ પંજાબ જશે.

રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે.
રાજ્યના પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલા છે. તાજેતરમાં ઓછા વરસાદ ધરાવતા અને પાક નિષ્ફળ જવાની રજુઆતોને પગલે ૪પ તાલુકાઓ માટે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ છે. હવે, ૧ ડિસેમ્બરથી આ સમગ્ર ૯૬ તાલુકાઓમાં સહાયની શરૂઆત કરાશે.
તેમણે ઉમેર્યુ કે, અછતના સમયમાં ૧૦૦ દિવસની રોજગારી નરેગા યોજના અન્વયે અપાય છે પરંતુ આ વર્ષે અછતની આ વિશેષ સ્થિતીને ધ્યાને લઇને ૧પ૦ દિવસ રોજગારી અપાશે.