13 જુન 2018માં સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના 4 બળવાખોર સભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં જઈને મધ્યસત્ર ચૂંટણીમાં સત્તા મેળવી હતી. જેમાં પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવાને નિયુક્ત કરાયા હતા. ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ નિયુક્ત કરાયા હતા. જેમાં 16 ભાજપ સભ્યો અને 4 કોંગ્રેસના બાગી મળઈને ભાજપે 20 સભ્યો સાથે લોકચૂકાદા વિરૃદ્ધ સત્તા મેળવી હતી. ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે કુલ 36 બેઠકમાંથી કોંગ્રેસને 20 બેઠકો મળી હતી. અગાઉના અઢી વર્ષ માટે કોંગ્રેસ હતી. 15 જુન 2018માં મધ્ય સત્ર ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોનો સત્તા મેળવવા માટે આંતરિક અસંતોષનો જવાળામુખી ફાટી નિકળ્યો હતો. કોંગ્રેસના સભ્યોમાં ફાટફુટ પડાવવામાં સફળ રહેતા ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યકત કર્યો હતો. ભાજપે પછી નગરપતિ વિપુલ ઉનાવા તરફ અસહકારભર્યું વલણ અપનાવતા તેઓએ ફરી એક વખત ગુલાંટ મારી છે.
પાંચ મહિના પછી ફરી એક વખત કોંગ્રેસના બળવાખોરોએ કોંગ્રેસમાં આવવાનું નક્કી કર્યું છે. નગરપાલિકાનાં પ્રમુખ વિપુલ ઉનાવા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા જે ભાજપનાં ટેકાથીપ્રમુખપદે બીરાજી ગયા હતા. જે ફરી પાછા કોંગ્રેસમાં લાવવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રયાસો કર્યા હતા.