મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોત પાયોનિયર મીની નામના ઝેરી ઘાસ ખાવાથી થયા છે. 30 ગાયોની હાલત ખરાબ થઈ હતી. તે ઘટનાને 4 દિવસ થયા છતાં તેના ચોક્કસ કારણો શોધી શકાયા નથી. આ ઘાસ કઈ રીતે અહીં આવ્યું અને તેનો વપરાશ કેમ થયો તે પમ શોધી કઢાયું નથી. બીજે આવું ઘાસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી નથી. ગોવાળ દ્વારા 65 જેટલી ગાયોને ચરાવવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ગાયો દ્વારા પાયોનિયર મીની નામનું લીલું ઘાસ ચરવામાં આવ્યું હતું. જોકે, ગાય દ્વારા ઘાસ આરોગ્યા બાદ અચાનક ગાયોની તબીયત લથડવા માંડી હતી. 35 ગાયોએ સ્થળ પર જ દમ તોડી દીધો. જ્યારે અન્ય 30 જેટલી ગાયની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પશુ અધિકારીની ટીમ અને સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ડોક્ટરોએ તુરંત ગંભીર હાલતની ગાયની સારવાર શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર પાયોનિયર મીની નામનું લીલું ઘાસ આરોગ્યા બાદ ગાયની હાલત કથળી હોવાનું તારણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગાયને મેણો – આફરો ચડી જતા મોત નીપજ્યું હોવાની વિગત અપાઈ છે.