સહારાના સુબ્રોતો રોયના નામે રિઅલ એસ્ટેટ, સ્પોર્ટ્સ, મિડિયા, ફાઈનાન્સ, હોટેલ્સ, રિટેઈલ અને હેલ્થ કેર જેવાં અલગ-અલગ ક્ષેત્રમાં એટલા બધા ધંધા વિકસી ચુક્યા છે કે, તેમની નેટવર્થ આવક ૧,૭,૩૦૦૦ કરોડ રૃપિયાની થવા જાય છે. તેમા પણ છેલ્લા પાંચ વર્ષમાં હોટલ બિઝનેસમાં તો સહારા પરિવારે મોટા સાહસ ખેડયાં છે.
ન્યૂયોર્કની ‘ પ્લાઝા હોટલ ‘ કે લંડનની ‘ગ્રાસવનોર હોટલ’ હોય કે પછી મુંબઈમાં છત્રપતી શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી ‘સહારા સ્ટાર’ હોટલ, આ તમામ હોટલની કરોડોની સ્થાવર મિલકત ખૂબ જ ટૂંકા ગાળામાં સહારા પરિવારે હિસ્સો વધારવા માટે સારી એવી રકમ ખર્ચી છે. હોટલ ઈન્ડસ્ટ્રીઝની જેમ રિટેઈલમાં પણ સહારાએ ધમાકેભર ડગ માંડયા છે. ત્રીજી બિલિયનના ઇન્વસ્ટમેન્ટથી ‘કયૂ શોપ’ના નામે પૂરા દેશમાં સહારની ચેઈન સ્ટોર ઓપન થવાની છે. અને પ્રથમ તબક્કામાં આવી ‘ક યૂ શોપ’ને એક સાથે જ લોન્ચિગ કરીને સહારા પરિવારે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. જેમા એક જ દિવસે દસ રાજ્યમાં ૩૧૫ આઉટસેટ્સ ખોલવાનો રેકોર્ડ સ્થાપિત થાય છે! ફિલ્મ પ્રોડયુસ કરવાના બિઝનેસમાં પણ સહારા પરિવારનું નામ છે.
ફિલ્મો બનાવી
સાહારાના નામે આજે પ્રોડયુસ થયેલી ફિલ્મોમાં ‘ પેજ થ્રી’, ‘સરકાર’, ‘ નો એન્ટ્રી, અને ‘ વોન્ટેડ’ જેવી આવક રળનારી ફિલ્મોની ગણના કરી શકાય છે. સ્પોર્ટ્સમાંય ઇન્ડિન ક્રિકેટ ટીમને આપણે વર્ષોથી સહારાના લેબલ સાથે જોતાં આવ્યા છીએ, હવે તે સહારાનું લેબલ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ટી-શર્ટ પર નથી દેખાતું, પરંતુ ઈન્ડિયન બેડમિન્ટન લિગ, પોલો ટીમ, ફોર્મ્યૂલા વન રેસ ટીમ, કોલકત્તા ફૂટબોલ લિગ જેવી ટીમોને સ્પોન્સર તરીકે દેખાય છે. અને આઈપીએલની પુણે વોરિઅર્સ ઈન્ડિયા ટીમની માલિકી હિસ્સો ધરાવે છે. રિઅલ એસ્ટેટમાં પણ સહારાએ કાનપુર, લખનઉં, હૈદ્રાબાદ, ભોપાલ, કોચી, ગોરેગાંવ જેવા શહેરોમાં રેસિડેન્સિયલ સ્કીમ લોન્ચ કરી છે. આમ અનેક બિઝનેસમાં સહારાએ પોતાની ઓળખ બનાવી છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યે નિસબતની પણ એક છબિ સહારાએ ઊભી કરી છે. જેના કારણે સહારા પરિવારના સભ્યોની સંખ્યા વધતી જ જાય છે. અને એટલા માટે જ વર્ષ ૨૦૧૦માં ‘ઇન્ડિયા ટુડે’ ગ્રુપ દ્વારા સુબ્રોતો રોયને દેશના મોસ્ટ પાવરફુલ દસ વ્યકિતની યાદીમાં સમાવ્યા હતા.
પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિને પણ ઇન્ડિયન રેલવે બાદ સૌથી વધુ લોકોને કામ આપનારા વ્યકિત તરીકે સુબ્રોતો રોયનું નામ લીધું હતું. ત્રણ દાયકા બાદ સુબ્રોતો રોયે બજારમાં એક ઇમેજ બનાવી છે. સુબ્રોતો રોયના ગેસ્ટલિસ્ટમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સથી માંડીને ન્યુ કમર્સ અવારનવાર સામેલ થતાં રહ્યાં છે. ક્રિકેટર્સ પણ સુબ્રોતો રોયની મહેમાનગતિ માણવામાં ગર્વ અનુભવે છે. ઉદ્યોગપતિ, રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્રસ પણ સુબ્રોતો સાથે ઊઠવા બેસવાનો આનંદ માણતાં રહ્યાં છે. એટલે જ એક વખત સહારાના વર્તુળમાં મુલાયમસિંહ યાદવ, અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જોવા મળતાં હતાં. જો કે સહારાની મજબૂત દેખાતી ઇમારતમાં ત્યાં તિરાડો પડતી દેખાઇ જયારે પહેલાં વહેલાં આ ગ્રુપની નોન બેન્કિંગ કંપની સામે આરબીઆઇ અને સેબી સિકયુરીટીઝ એન્ડ એકચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પ્રશ્ન ખડા કર્યા. ૨૦૧૦માં આ ઘટના સામે આવી હતી. જયારે સહારાની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રિઅલ એસ્ટેટ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા દેશના લાખો લોકો પાસેથી પૂર્ણતઃ કન્વેર્ટેબલ ડિબેન્ચર્સ આપીને કરોડો ઉઘરાવ્યા હતા.
18,000 કરોડ ઉઘરાવ્યા
સહારાએ લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં કંપનીના કાયદા, સેબીના નિયમો અને ઈન્વેસ્ટરર્સના હિત જાળવ્યા ન હતા. સહારાનું આ એક કૌભાંડ જ હતું, પરંતુ લોકો પાસેથી સહારાએ અઢાર હજાર કરોડ ઉધરાવી લીધા ત્યાં સુધી કોઈ જ સરકારી મિશનરી તેના પર અંકુશ ન લાવી શકી. આગળ જતાં સેબીએ સહારા પર કાર્યવાહી કરી અને કેસ વખત જતાં સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રિમ કોર્ટ દ્વારા સહારાને આદેશ થયો કે લોકો પાસેથી ઉધરાવેલા ૨૪,૦૦૦ કરોડ નિશ્ચિત સમયમાં પરત કરવાં. જોકે ઈન્વેસ્ટર્સ સુબ્રોતો નાણાં પાછી ન આપી શકયા અને તેઓને જેલમાં જવાનો વારો આવ્યો. સહારાની કંપની આ વખતે સેબીના ભીંસમાં આવી અને સહારાના માલિકને જેલ થઈ. જોકે સેબીના અડફેટમાં સહારાની કંપની પ્રથમવાર નહોતી આવી. આ અગાઉ પણ સહારાની ફાયનાન્સિઅલ બાબતો શંકાસ્પદ રહી છે. તમલ બંદોપાધ્યાય નામના લેખકે ‘સહારાઃ ધ અનટોલ્ટ સ્ટોરી’ નામના પુસ્તકમાં સુબ્રોતો રોયની ઘણી જાણીતા કરી છે, જેમાં તેમણે સહારા કંપનીની નાણાંકીય વ્યવહારને લઈને પ્રશ્નો કર્યા છે.
આ પુસ્તકમાં રજૂ કરવામા આવેલી વિગત મુજબ સહારા કંપની કોઈ જવાબદારી વિના લોકોના નાણાં ઉઘરાવ્યા હતા. તેમાં સરકારની ભૂમિકા તો કયાય નહોતી, પરંતુ રોકાણકારોની વિસ્તૃત માહિતી પણ કંપનીએ જાળવી નહોતી. જે સહારા તરફથી બનનારી સૌથી પ્રથમ ફરજ બની હતી. આ પુસ્તક જયારે આવ્યુ હતુ. ત્યારે તેને અટકાવવા માટે પણ સહારા દ્વારા કોલકાતા હાઈકોર્ટમાં બસો કરોડનો બદનક્ષીનો દાવો પ્રકાશક અને લેખક પર કરાયો. જોકે સહારાના આ પ્રયાસથી પુસ્તક પ્રકાશન અટકયુ નહોતુ.
સુબ્રોતોના વિરોધમાં ચિત્ર દેખાતુ હોવા છતા, કેટલીક બાબતો તેમના પક્ષમાં પણ છે, જેમ કે, લાખો ઈન્વેસ્ટર્સને સહારાએ વિશ્વાસમાં લઈને રાખ્યા છે, એટલે જ હાલમાં જ અમદાવાદ અને અન્ય શહેરોમાં જ્યારે સહારા ‘આભાર યાત્રા’ થઈ રહી છે, ત્યારે ગણ્યાગાઠયા જ ઈન્વેસ્ટર્સ પોતાના નાણાં પાછા માગી રહ્યાં હતાં કાં તો સહારા કંપની એવી ગોઠવણ કરી શકી કે આ યાત્રા રોકાણકારોના કારણે ખોરવાય નહીં! ઉપરાત, સુબ્રોતો રોયનુ સ્વાગત દરેક શહેરમાં થઈ રહ્યુ છે અને તેઓ પોતાના મુશ્કેલ સમયમાં લોકોએ આપેલા સાથનો આભાર માનતા દેખાય છે. અલબત સેબી, સુપ્રિમ કોર્ટ અને અન્ય નાણાકીય પ્રવૃત્તિ પર દેખરેખ રાખતી સંસ્થા સુબ્રોતો રોય દ્વારા ઉઘરાવેલાં નાણાં ગેરકાયદેસર માને છે.
રાજકોટમાં રૂ.65 કરોડની જમીન વેચી
3 ઓક્ટોબર 2018 રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈ-વે ઉપર ૧૫ વર્ષ પહેલા સહારા કંપનીએ ટાઉનશીપ બનાવવા માટે ખરીદેલી ૧૧૦ એકર ખેતીની જમીન રાજકોટનાં એક બિલ્ડર જુથે જ ખરીદી લીધી હોવાનું જાણવા મળેલ છે.
આધારભૂત સુત્રોના કહેવા મુજબ અમદાવાદ હાઈ-વે ઉપર સાત હનુમાન મંદિર સામે આવેલી સહારા કંપનીની આશરે ૧૧૦ એકર જમીન રૂા.૬૫ કરોડમાં વેંચાઈ છે. આ જમીન રાજકોટમાં જ અનેક મોટા પ્રોજેકટ આપનાર અને રાજકીય ઓથ ધરાવતા બિલ્ડર જૂથની આગેવાની હેઠળ ચારેક બિલ્ડરોએ ભેગા મળીને ખરીદી લીધી છે.
જમીન ખરીદીમાં મોટા ગજાના બિલ્ડર સાથે બિલ્ડર્સ એસો.ના એક હોદેદાર તેમજ અન્ય બે મોટા બિલ્ડરોએ આ જમીન ખરીદયાનું જાણવા મળી રહ્યું છે. ૧૫ વર્ષ પહેલા આ જમીન સહારા કંપનીએ ટાઉનશીપ બનાવવા માટે ખરીદી હતી પરંતુ કંપનીએ સમય મર્યાદામાં જમીન બિનખેતી કરાવી પ્રોજેકટ શરૂ નહીં કરતા શરત ભંગથી માંડી જમીન ખાલસા કરવા સુધીના સરકારી લીટીગેશન ઉભા થયા હતા.
જો કે, હાલ સહારા જૂથ પડતા ૧૧૦ એકર જેવી જમીન રૂા.૬૫ કરોડમાં વેંચાઈ છે.
બીજી તરફ નવા ડી.પી.માં અમદાવાદ હાઈ-વે પરના વિસ્તારમાંથી ગ્રીનઝોન પણ ઉઠી જતા આગામી સમયમાં જમીન ખરીદનાર બિલ્ડર જૂથ આ જમીન ઉપર મોટા પ્રોજેકટરો મુકે તેવી શકયતા છે.
હાલ અમદાવાદ હાઈ-વે ઉપર હિરાસર ગામ પાસે ગ્રીનલેન્ડ એરપોર્ટની મોટી યોજના પણ ચાલી રહી છે જેથી અમદાવાદ હાઈ-વે ઉપર રાજકોટથી બામણબોર વચ્ચેનો વિસ્તાર અચાનક જ નહોટકેકથ બની ગયો છે. આવા સમયે જ રાજકોટના બિલ્ડરોએ કાચા પડેલા સહારા ગ્રુપનો મોટો માલ ખરી લેતા આગામી દિવસોમાં આ વિસ્તારમાં હોટેલ અને ટાઉનશીપ સહિતના મોટા પ્રોજેકટ આવે તેવી શકયતા છે.
જો કે, સહારા જૂથની જમીન સામે શરતભંગ અને ખાલસા સહિતના લીટીગેશન અંગે કોઈ વિગતો જાણવા મળી નથી.
તિહાડ જેલમાં ઓફિસ માટે સહારાએ રૂ.૧.૨૩ કરોડ ચૂકવ્યા
7 ડિસેમ્બર 2015માં સહારા ગ્રૂપના ચીફ સુબ્રતો રોયે તિહાડ જેલની અંદર આખું વર્ષ મિની ઓફિસ ચલાવી. અહીં એક અેસી રૂમની અંદર વાઈ ફાઈ, વીડિયો કોન્ફરન્સ, લેપટોપ, ડેસ્ટટોપ અને સ્ટેનોગ્રાફર જેવી ફેસિલિટી હતી. આ માટે સહારા ચીફે તિહાડ જેલ ઓથોરિટીને ૧.૨૩ કરોડ રૂપિયા ચૂકવ્યા. આજે આવેલા મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાયો છે.
સુબ્રતો રોયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ઇન્વેસ્ટરના પૈસા પાછા આપવા માટે તેમણે પોતાની પ્રોપર્ટી વેચવી પડશે. આ માટે તેમણે પોતાના ગ્રૂપના અધિકારીઓ સાથે મિટિંગ કરવાની અને ક્લાયન્ટ સાથે વાતચીત કરવાની જરૂર છે. આ માટે સુપ્રીમ કોર્ટે તિહાડ જેલમાં જ એક અલગ જગ્યા આપવાની વાત કરી હતી. જ્યાં રોય પોતાના ક્લાયન્ટ્સને મળી શકે. રોયને ૧૨ નવેમ્બરના રોજ નોર્મલ સેલમાં મોકલીને બાકીની સ્પેશિયલ સર્વિસ પૂરી કરાઈ.
રોય પહેલી વાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ૧૦ દિવસ પહેલાં સ્પેશિયલ યુનિટમાં શિફ્ટ થયા હતા. રોયને અેસી રૂમ અપાયો હતો. આ દરમિયાન રોયે ન્યૂયોર્ક અને લંડનની બે મોટી હોટલોને વેચવા માટે આ રૂમમાં બેસીને ડીલ કરી. આ ૧૦ દિવસમાં જેલમાં તેમને વાઈ ફાઈ અને વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધાઓના ઉપયોગની પરવાનગી અપાઈ હતી. આ દરમિયાન તેઓ કંપનીના કેટલાક ડાયરેક્ટરને મળતા રહ્યા. તેમની મુલાકાત સીસીટીવી કેમેરામાં રેકોર્ડ પણ કરાઈ.
રોયને તિહાડ જેલમાં અેસી રૂમ, વીડિયો કોન્ફરન્સ ઉપરાંત પોતાની કંપનીના અધિકારીઓ અને પુત્રો સાથે મુલાકાત કરવાની પરવાનગી મળી. તેમને બે લેપટોપ, બે ડેસ્ટટોપ, લેન્ડ લાઈન ફોન, એક મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યો. તેમને એક સ્ટેનોગ્રાફર અને કેટલાક આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યા. જે સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રોયને મદદ કરતા હતા.
એક અંગ્રેજી ન્યૂઝપેપરના અહેવાલ મુજબ સહારા ગ્રૂપે કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરવા માટે અત્યાર સુધી તિહાડ જેલ સત્તાધીશોને ૧,૨૩,૭૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા. તેમાં સિક્યોરિટી, ઇલેક્ટ્રીસિટી, રેન્ટ, ફૂડ-વાેટર ફેસિિલટીના પૈસા સામેલ છે. ગ્રૂપને હજુ ૭.૬ લાખ રૂપિયા આપવાના છે.
સહારા ચીફ સુબ્રતો રોય ૪ માર્ચ, ૨૦૧૪થી જેલમાં છે. આક્ષેપ છે કે તેમણે ઇન્વેસ્ટર્સના ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે પહેલી વાર સહારા ગ્રૂપના રોકાણકારોને પૈસા પરત આપવાનું કહ્યું હતું, પરંતુ સેબી અને સુપ્રીમ કોર્ટના કહેવા છતાં પણ સહારા ગ્રૂપે પૈસા ચૂકવ્યા ન હતા. કોર્ટમાં રજૂ થવા માટે પણ તેઓ આનાકાની કરતા. ક્યારેક પોતાની કે પોતાનાં માતાની તબિયત ખરાબ હોવાનું કહીને વાત ટાળી દેતા.
સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ લખનૌ સ્થિત પોલીસ સુબ્રતો રોયને લઈને દિલ્હી પહોંચી અને કોર્ટમાં રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે સુબ્રતો રોયને કહ્યું કે તેઓ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા આપીને જામીન મેળવી લે. શરતો પૂરી નહીં કરવાના કારણે રોય હજુ જેલમાં છે.
સહારા ગ્રૂપની સંપત્તિ વેચીને રોકાણકારોને નાણાં આપોઃ સુપ્રીમ કોર્ટ
10 માર્ચ 2016ના રોજ સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં રોકાણ કરનારા લાખો રોકાણકારોના પૈસા પરત અપાવવા માટે બજાર નિયામક સિક્યુરિટીસ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા (‘સેબી’)ને સહારાની સંપત્તિ વેચી દેવાની જવાબદારી સોંપી છે.
‘સેબી’એ જ સહારા ગ્રૂપની સંપત્તિ વેચવાની મંજૂરી માગતી અરજી કરી હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો છે. કોર્ટે મંગળવારે આદેશમાં કહ્યું હતું કે એક્સપર્ટ એજન્સીઓ સહારાની એ ૮૬ સંપત્તિની કિંમત નક્કી કરે, જેની માલિકી અંગે કોઇ પણ જાતનો વાદવિવાદ નથી.
કોર્ટે આ સાથે જ કહ્યું કે જે કિંમત નક્કી કરવામાં આવે તેના ૯૦ ટકાથી ઓછી રકમની બિડ આવે તો સંપત્તિ વેચવી નહીં. કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે સહારાની એમ્બીવેલી શા માટે વેચી ન દેવી જોઈએ? ઉલ્લેખનીય છે કે એમ્બીવેલી એ સહારા ગ્રૂપનો મહારાષ્ટ્રમાં આવેલો મહત્ત્વાકાંક્ષી રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.
સહારા ગ્રૂપે તેની ૮૬ સંપત્તિઓની યાદી રજૂ કરી છે, જેની કિંમત તેણે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા આંકી છે. જોકે સહારાનો દાવો છે કે આ સંપત્તિ વેચાતી નથી. હવે કોર્ટના આદેશ પછીથી તેને વેચવાની કામગીરી શરૂ થશે.
થોડાક સમય પહેલા સહારાની અમેરિકામાં આવેલી બે હોટેલની લિલામી થવાની હતી, જે છેલ્લી ઘડીએ અટકાવવામાં સહારા સફળ રહી હતી. ગ્રૂપને આ બે હોટેલ બચાવવા માટે જૂન સુધીનો સમય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રોકાણકારોના નાણાં પરત ન ચૂકવવા બદલ સહારાના પ્રમુખ સુબ્રતો રાય બે વર્ષથી જેલમાં કેદ છે. માર્ચ ૨૦૧૪માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો?
સહારા સમૂહની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રિઅલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ૩ કરોડથી વધુ રોકાણકારોના ૧૭,૪૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૦૯માં સહારા પ્રાઇમ સિટીએ આઇપીઓ લાવવા માટે ‘સેબી’માં ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા. ૨૦૧૦માં ‘સેબી’એ તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલો સુપ્રીમમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે બાદમાં આદેશ આપ્યો કે સહારા રોકાણકારોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયા પરત કરે.
જોકે સહારા ચીફ સુબ્રતો રોયે એવું કહ્યું હતું કે મારી પાસે હાલ નાણા નથી. આથી કોર્ટે તેને જેલમાં બેઠા બેઠા સંપત્તિ વેચવાના આદેશ આપ્યા હતા. તેમ છતાં કોઇ નાણા ન મળતા અંતે તેની ૮૬ સંપત્તિ ‘સેબી’ જ વેચી આપે તેવું કોર્ટે કહ્યું છે.
રૂ. ૩૬ હજાર કરોડ પરત કરવાના છે
૨૦૧૪માં સહારાના વડા સુબ્રતો રોયની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે રોકાણકારોના નાણા પરત કરવામાં અસમર્થતા દર્શાવતા આ ધરપકડ થઇ હતી. સહારાએ એક રિઅલ એસ્ટેટની યોજનાના નામે ૩૬ હજાર કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા, પણ પરત ન કર્યા. તેથી આ મામલે ‘સેબી’એ સુપ્રીમમાં ફરિયાદ કરી હતી. 40 હજાર કરોડ પરત આપવાના થાય છે.
તો સુબ્રતો રોય છૂટી જશે
જો સહારાની સંપત્તિને વેચી દેવામાં આવે તો તેનાથી જે નાણા ઊભા થશે તે રોકાણકારોને ભરપાઇ થઇ જશે. આથી એવી શક્યતાઓ છે કે છેલ્લા બે વર્ષથી જેલમાં કેદ સહારાના વડા સુબ્રતો રોયનો છૂટકારો થઇ શકે છે કેમ કે તેઓએ નાણા ભરપાઇ કરવા સક્ષમ નથી એવું કહ્યું હોવાથી તેમની ધરપકડ થઇ હતી.
સહારા ઇન્ડિયાની ઓફિસ ખાતે આજે ખાતેદારોનાં ધરણાં
28 ઓક્ટોબર 2017માં વડોદરા શહેરનાઅલકાપુરી ખાતે આવેલી સહારા ઇન્ડિયાની ઓફિસમાં વડોદરાના ખાતેદારો પોતાનાં નાણાં પરત માંગવાના સંદર્ભમાં સહારા ઇન્ડિયાની ઓફિસ ખાતે આજે ખાતેદારોનાં ધરણાં કર્યા
શહેરનાઅલકાપુરી ખાતે આવેલી સહારા ઇન્ડિયાની ઓફિસમાં વડોદરાના ખાતેદારો આજે પોતાનાં નાણાં પરત માંગવાના સંદર્ભમાં અનિશ્વિત સમય માટે અહિંસક ધરણાં પ્રદર્શન કરશે.
સહારા ઇન્ડિયાની ઓફિસમાં ખાતેદારોએ પોતે કંપનીમાં રોકેલાં નાણાં પરત નહીં મળે ત્યાં સુધી હડતાલને ચાલુ રાખવાની ચીમકી આપી છે. સંદર્ભમાં ખાતેદારોના સમૂહે શહેર પોલીસ કમિશનર તેમજ વડોદરા જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર સોંપ્યું છે.અને સંબંધમાં જરુરી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સહારા ઇન્ડિયાની ઓફિસમાં વડોદરાના ખાતેદારોએ રોકાણ કરેલા નાણાં પરત નહી મળતા હડતાલની ચિમકી ઉચ્ચારી છે. તેમજ કલેકટરને આવેદનપત્ર સુપરત કરેલ છે.
સહારાએ સાવરકુંડલામાં છેતરપીંડી કરી
29 જુન 2018માં સાવરકુંડલામાં સહારા કંપનીના સંચાલકો દ્વારા ૩૯ વ્યકિતઓ સાથે ર૦ લાખની છેતરપીંડી સાવરકુંડલા, તા. ર૯ : સહારા કંપની સંચાલકોએ કનિદૈ લાકિઅ કુલ ૩૯ વ્યકિતઓના કુલ રૂપિયા વીસ લાખ ઉપરાંતની રકમની છેતરપીંડી કર્યાની સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા શહેરમાં તે પ્રશ્ન કનિદૈ લાકિઅ ટોપ ઓફ ધ ટાઉન અકિલા બન્યો છે. કમલેશ નાથાભાઇ મહેતાએ સહારા કંપની વિરૂદ્ધ કરેલ ફરીયાદમાં જણાવેલ હતું કે આજથી ૬ વર્ષ પહેલા તારીખ ૧૬/પ/૧ર ના કનિદૈ લાકિઅ રોજ ફેન્ચાઇજી હેડ બ્રાન્ચ સહારા કયુ શોપ યુનીટ પરિવાર ઠેકાણુ પ્રથમ માળ ગીતા અકીલા બેટરી ઉપર અજન્ટા આઇસ્ક્રીમની બાજુમાં મહુવા રોડ સાવરકુંડલા કનિદૈ લાકિઅ એજન્ટ અલ્પેશભાઇ નવીનભાઇ રાઠોડ મારફતે કયુ શોપ સહારામાં વિશ્વાસે ફીકસ ડીપોઝીટ પેટે કુલ રૂપિયા ર૧૮૦૦ ખાતા નંબર ૮૬૩૩૬ર૦૦૯૧૯માં ૬ વર્ષ માટે કનિદૈ લાકિઅ જમા કરાવેલ હતાં તેની પાકતી મુદત તારીખ ૧૬/પ/ર૦૧૮ના રોજ થતી હોય જેથી હું એજન્ટ અલ્પેશભાઇ નવીનભાઇ રાઠોડ પાસે ગયેલો અને તેને મેં કહેલુ કે મારા કનિદૈ લાકિઅ ફીકસ ડીપોઝીટની રકમ તા. ૧૬/પ/ર૦૧૮ રોજ પાકી ગયેલ હોય તેથી તમો અમારી સાથે આવો અને મને આ રકમ પરત મેળવી આ તેમ કહેતા અલ્પેશભાઇએ મને કહેલ કે કનિદૈ લાકિઅ હાલ હું એજન્ટ કે મેનેજર નથી. હાલ તેના મેનેજર અલ્પેશભાઇ એ. અમલાણી છે તેની તમે જાવ જયાંથી પણ ઉપરથી પૈસા નથી આવતા તેવા જવાબો મળ્યા હતાં. ત્યારબાદ કનિદૈ લાકિઅ એજન્ટ અલ્પેશભાઇ એન. રાઠોડ પાસે ગયેલો અને તેને બનાવની વાત કરેલી તો તેણે મને કહેલ કે આ એકના પૈસા નહીં, પરંતુ ૩૯ માણસોના કુલ ૪પ ખાતાની પાકતી રકમના રૂપિયા આ સહારા કંપનીના કયુ શોપના મેનેજર અધિકારીઓ પૈસા આપતા નથી તેવી મને વાત કરેલી અને પછી મેં તપાસ કરતા આ સહારા કંપનીમાં જુદી જુદી રકમના કુલ ૩૯ વ્યકિતઓ ૪પ ખાતાના કુલ રૂપિયા ર૦,૯,પપ૦ની રકમ છે. સહારા કંપનીના મેનેજર અને અધિકારીઓએ ફીકસ ડીપોઝીટની જાહેરાત કરીને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત કરી ઓળવી જવાના ઇરાદે ગુન્હો કરેલ હોય તેની સામે ફરીયાદ કરી છે.
સહારા ગ્રુપની 1 લાખ કરોડની આમ્બે વેલી સીલ
બિન ખેતી કર અંગે નોટીસ આપ્યા બાદ રૂપિયા ભરવામાં નહીં આવતા મુલસી તાલુકા તહેસીલ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. સહારા ગ્રુપે નાના-નાના રોકાણકારો પાસેથી ડિપોઝીટ લઈને રિસોર્ટનું નિર્માણ કર્યું હતું. સહારા ગ્રુપે આમ્બે વેલીનાં નિર્માણ પાછળ 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. સહકારી સંસ્થાનાં નિયમો હેઠળ શેર હોલ્ડરો બનાવવામાં આવ્યા છે. કેટલાક ડિપોઝીટરોએ ફરિયાદ કરી છે કે તેમને ડિપોઝીટનાં 30,000 પણ પરત આપવામાં આવી રહ્યા નથી. ડિપોઝીટરોએ સહારા પાસે માંગ કરી છે છતાં તેમને ટલ્લે ચઢાવવામાં આવી રહ્યા છે.
2014માં સહારા ગ્રુપે 2008થી લઈ 2011 સુધીનાં રોકાણોના ડિપોઝીટ પ્લાનને સુપ્રિમ કોર્ટે ગેરકાયદે ગણ્યા હતા. સહારાનાં ફાઉન્ડર સુબ્રતો રોય છેલ્લા 22 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. સહારા ગ્રુપનાં જણાવ્યા પ્રમાણે આમ્બે વેલની હાલની કિંમત 1,00,000 કરોડ રૂપિયા છે. આ મિલ્કતનાં કન્સલટન્ટ તરીકે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા છે.
આર્થિક ગેરરીતીઓનાં અનુસંધાને સુપ્રિમ કોર્ટે સહારાને 40, 500 કરોડ રૂપિયા રોકાણકારોને પરત આપવાનો હુકમ કર્યો હતો. સેબીએ સહારાની ગેરરીતીઓ શોધી કાઢી હતી.
આ પ્રોજેક્ટની પ્રોફાઈલ જુઓ તો વિરોધાભાસ જોવા મળે છે. સહારા ગ્રુપે 2013 સુધીનાં માર્ચ મહિનામાં આમ્બે વેલીનો ચોખ્ખો નફો નવ કરોડ રૂપિયા નોંધાવ્યો હતો. આમ્બે વેલીમાં અનેક નામી હસ્તીઓએ રોકાણ કરેલું છે. હાલમાં પણ તેમનાં બંગલા હોવાનું માનવામાં આવે છે.
સહારા-બિરલા ડાયરી : મોદી સામે તપાસ નહીં
2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાહતરૂપ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સહારા-બિરલાની ડાયરી મામલે તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, મોદી તેમજ અન્યો વિરુદ્ધ જાંચ માટે પૂરતા પુરાવા નથી.
કોર્ટે અરજીને હાથ ધરવા માટે યોગ્ય ગણી નહોતી અને જણાવ્યું હતું કે, ભૂષણ દ્વારા રજૂ કરાયેલા કાગળો તપાસ માટે પૂરતા નથી. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગના એક દરોડામાં સહારાની કચેરીમાંથી એક ડાયરી મળી હતી જેમાં 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2પ કરોડ રૂપિયા કથિતપણે અપાયા હતા. એ ઉપરાંત ત્રણ અન્ય મુખ્યમંત્રીના પણ તેમાં નામ હતા. આ ડાયરીને લઈને જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતા.
મોદી સહિત કેટલાક રાજકારણીઓએ લાંચપેટે રૂપિયા લીધા હોવાના આરોપ સાથે બિનસરકારી સંસ્થાએ ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જો સર્વોચ્ચ અદાલત આ મામલામાં તપાસના આદેશ નહીં આપે તો બીજી કોઈ તપાસ ન્યાયસંગત રહેશે નહીં.
સુપ્રીમે આ દસ્તાવેજોને શૂન્ય બતાવતાં અરજીકર્તા સંગઠન સીપીઆઈએલને નક્કર સબૂતો રજૂ કરવા જણાવ્યું હતું. સીપીઆઈએલે એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, આવકવેરા વિભાગની આકારણી હેવાલ, ડાયરી તેમજ ઈ-મેઈલ એવો સ્પષ્ટ સંકેત આપે છે કે, રાજકારણીઓને લાંચ અપાઈ હતી.
સહારા જૂથે 9 વખત મોદીને કરોડો રૂપિયા આપ્યા : રાહુલ ગાંધીનો દાવો
21 ડિસેમ્બર 2016 મહેસાણા: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહેસાણામાં જંગી રેલીને સંબોધતા મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, સહારા જૂથે 2013-14માં 9 વખત કરોડો રૂપિયા મોદીને આપ્યા હતા. IT ડિપાર્ટમેન્ટે 22 નવેમ્બર-14ના રોજ સહારા કંપની પર રેડ કરી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે કંપની તરફથી કોરોડો રૂપિયા મોદીને આપવામાં આવ્યા હતા. અઢી વર્ષ થવા છતાં આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ માટે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. રાહુલે વધુમાં કહ્યું હતું કે, “મોદીજી તમે મને સંસદમાં બોલવા ન દીધો. સંસદમાં તમે મારી સામે ઉભા રહેવા માટે તૈયાર ન હતા. શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે આ કાળાં નાણાં વિરુદ્ધ લડાઈ છે. પછી તેમણે કહ્યું કે આ આતંકવાદ વિરુદ્ધ લડાઈ છે. નોટબંધી દ્વારા તમારા પૈસા 6-7 મહિના બેંકમાં રાખવાનો મોદીનો ઈરાદો હતો. જેનાથી ધનવાન લોકોની લોન માફ કરી શકાય. મોદી સરકારે ખેડૂતો અને ગરબીનો પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની જમીન હડક કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે.”
રાહુલે કહ્યું હતું કે, “દેશના 1% અમીરોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે. મોદી આ બધું સારી રીતે જાણ છે. 2014માં મોદીએ ભાષણમાં કહ્યું હતું કે, ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ. સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છો?”