ભાજપના વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની
અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રવાના થયેલ છે.
ભાજપા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની રહી છે ત્યારે ભાજપાના કાર્યકર તરીકે દેશહિતના કામમાં જાડાયેલા રહી
આપણે સૌ કાર્યકર્તાઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. વિજય લક્ષ્ય યુવા સંમેલન એ સમગ્ર દેશમાં ૨૦૧૯ લોકસભામાં ભાજપાના ભવ્ય
વિજયનો વિજય ટંકાર બની રહેશે. પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ પણ તેમના સંબોધનમાં ગુજરાતભરમાંથી મહાઅધિવેશનમાં
ભાગ લેવા જઈ રહેલા સૌ યુવા કાર્યકર્તાઓને યુવા શક્તિ એ રાષ્ટ્ર શક્તિના મંત્ર સાથે વિદાય આપી હતી.
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ સાબરમતી સ્ટેશનથી લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી.