ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2022નું કેમ વરંવાર કહે છે, ગુજરાતનું શું

કેન્દ્રીય ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પણ તેમાં ગુજરાતમાં શું કરવા માંગે છે. તે અંગે કોઈ ઉલ્લેખ નથી.

-ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ કરવામાં આવશે.

– કિશાન ક્રેડિત કાર્ડ – આ દ્વારા ૧ લાખની લોન સુધી વ્યાજ પાંચ વર્ષ માટે નહી.

– ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે.

-ખેડૂતો માટે પેન્સન યોજના લાવવામાં આવશે જેમાં ૬૦ વર્ષની ઉમરથી પેન્સન મળશે.

– બધી જ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે.

– દેશના ગરીબોને ઘરે જ ઉપચારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

-રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવામાં આવશે.

– દેશમા નાના દૂકાનદારોને પણ પેન્સન યોજનામાં આવરી લેવાશે.

– ૨૦૨૨ સુધી નવા ભારતનું નિર્માણ કરીશુ આ માટે ૭૫ સંકલ્પ પૂરા કરવામાં આવશે.

– દેશના દરેક લોકોને પાક્કુ મકાન મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.

– દેશમા બધા જ ઘરો સુધી પાણી અને વીજળી પહોંચશે, શૌચાલય બનાવશે.

– નેશનલ હાઈવેની લંબાઈ બે ગણી કરવામાં આવશે.

– આર્થવ્યવસ્થા વધારે સુધારીશુ, નિકાશ ડબલ કરીશુ.

– ૩૭૦ અને ધારા ૩૫એ હટાવવાની કોશિશ કરીશુ.

– પ્રત્યેક વ્યક્તિને તેના ૫ કી.મી.ના દાયરામાં બેંકની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરીશુ.

– ત્રણ તલાકનો કાયદો બનાવીશું.

– છ આદિવાસી સ્વતંત્ર સેનાનીનોના સંગ્રાહલય બાનાવમાં આવશે.

– ૨૦૨૨ સુધીમાં દેશની બધીજ રેલ્વેનું વીદ્યુતીકરણ કરવામાં આવશે.

-રામ મંદિર બનાવવા માટેની બધીજ સંભાવના તપાસવામાં આવશે, સોહાર્દપૂર્ણ વાતાવરણમાં રામમંદિર બનાવશે
-સમાન નાગરિક સંહિતા લાગૂ કરવામાં આવશે.

– અસંગઠિત મજૂરો માટે વધારે કામ કરવામાં આવશે.