ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની 24 – 7 – 2018ના રોજ મળેલી સામાન્ય સભામાં દિનેશ ચૌહાણની પ્રમુખ તરીકે અને કે. સી. કણઝરીયાની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2018-19ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. ૉજેમાં ઉપપ્રમુખ તરીકે સર્વ જગદીશ સત્યદેવ, દિલીપ ગજ્જર, કિરીટ બેન્કર, જી. એસ. ઠાકોર અને બી. ટી. ઠુમર અને સહમંત્રી તરીકે પી. આર. બારોટ, ખજાનચી તરીકે જે. એલ. ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે સર્વ પી. એચ.
ચૌધરી (વડી કચેરી), સંજય રાજ્યગુરુ (સૌરાષ્ટ્ર ઝોન), એસ. બી. સુખડીયા (મધ્ય ઝોન), અક્ષય દેસાઇ (દક્ષિણ ઝોન) અને સુરેશ રાવળ (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે. કારોબારી સભ્યોમાં સર્વ હસમુખ પટેલ, પ્રવિણ પટેલ, દેવાંગ મેવાડા, એન. એલ. દલવાડી, પરિમલ પટેલ, પી. પી. સોરઠીયા, એન. પી. કક્કડ, અજય શાહ, સંજય પટેલ (ભરૂચ), મહેશ પટેલ (વલસાડ), વી. જી. નાયક, ટી. કે. કલાણી, ર્ડા. ઉર્વીબેન રાવલ અને ફોરમબેન રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.