રાજકોટના પૂર્વ મેયર ડાંગર કોંગ્રેસમાં

રાજકોટમાં કોંગ્રેથી ભાજપ અને ભાજપથી કોંગ્રેસમાં આવન-જાવન હજુ પણ ચાલુ રહેશે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલાં રાજકોટના પૂર્વ સફળ મેયર અશોક ડાંગર ફરી કોંગ્રેસમાં આવી રહ્યાં છે. તે અંગેની આખરી વાતચીત થઈ રહી છે. તેઓ ભાજપમાં નારાજ હતા. તેમને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં 2012માં સન્માન પૂર્વક લઈ ગયા હતા. પણ તેઓ દિલ્હી વડાપ્રધાન બન્યા પછી અશોક ડાંગરને ભાજપના જ નેતાઓ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યાં હતા. કારણ કે તેઓ મૂળ કોંગ્રેસના છે. જે સ્થાનિક ભાજપના નેતાઓને પસંદ ન હતું. તેથી તેમને ભાજપમાં મહત્વનો હોદ્દો ક્યારેય આપવામાં આવ્યો ન હતો. જે રીતે કોંગ્રેસમાંથી ગયેલાં એક પણ નેતાઓને ભાજપમાં મહત્વનો હોદ્દો આપવામાં આવેલો નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ નિષ્ક્રિય હતાં. ભાજપમાં રોજ અવગણનાના કારણે ભાજપ છોડ્યો હોવાનું જાહેર કર્યું હતું. તેઓ હવે કોંગ્રેસના સંપર્કમાં છે. આમેય રાજકોટ કોંગ્રેસમાં કોઈ મહત્વના નેતાઓ રહ્યાં નથી.