અરબી સમુદ્ર પર સર્જાયેલી લો પ્રેશરના કારણે રાજયભરમાં આકાશ વાદળછાયુ બની ગયું હતું. અરવલ્લી, પાટણ, દ્વારકા, સોમનાથ, તથા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલ્ટો જાવા મળશે જેના પરિણામે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે.
ધુમ્મસના કારણે વાહન વ્યવહાર તથા હવાઈ સેવા ખોરવાઈ હતી. બપોર સુધીમાં વિમાની સેવા યથાવત થઈ ગઈ હતી. રાજયમાં હજુ પણ બે દિવસ વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં ઘટાડો થયો છે. વાદળો તુટતાં જ બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
ગુજરાતમાં સતત ત્રીજી વખત માવઠુ થતાં ખેડૂતો ચિંતીત બની ગયા છે. સવારથી જ રાજયના અનેક વિસ્તારોમાં માવઠુ થઈ રહયું છે જેના પરિણામે ઉભા પાકને નુકસાન થયું છે.
દિલ્હી તથા અન્ય શહેરોમાં જતી પાંચ જેટલી ફલાઈટો મોડી પડી હતી.
રાજુલા- સાવરકુંડલા, એકસપ્રેસ હાઈવે ભાવનગર હાઈવે, અમદાવાદ- સુરત હાઈવે સહિતના રસ્તાઓ ઉપર ધુમ્મસના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.