રૂ.1.22 લાખમાં જ ગામડામાં મકાન બને છે, પણ શહેરમાં બધાને રહેવું છે

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા પરિવારોને તેમજ કાચા અને જર્જરિત મકાનમાં
રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’માં  ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૮૦૫ આવાસો મંજૂર થયા હોવાનું અને તે પૈકી ૬૬૦ આવાસોનાં કામ કુલ
રૂ.૮૦૮.૧ લાખના ખર્ચે તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું.  છેલ્લા બે વર્ષમાં ભાવનગર, જામનગર, પાટણ અને ખેડા
જિલ્લામાં રૂ.૨૨,૦૮૪.૬૦ લાખનાં ખર્ચે ૧૮,૦૨૭ આવાસોનાં કામ પુર્ણ થયા છે. એક ફ્લેટ રૂ.1.22 લાખનો પડે છે. આટલા સસ્તામાં મકાન બની જતું હોવા છતાં લોકો શહેરમાં રહેવા આવે છે.

૨૦૧૬-૧૭ થી અમલમાં આવી છે. એક પણ પરિવાર ઘરવિહોણો ન રહે તેવા લક્ષ્યાંક સાથે આ યોજનાનું અમલીકરણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના હેઠળ બે વર્ષમાં ભાવનગર, જામનગર, પાટણ અને ખેડા જિલ્લામાં ૧૮,૦૨૭ આવાસોનાં કામ પુર્ણ થયા છે. આ માટે રૂ.૨૨,૦૮૪.૬૦ લાખનો ખર્ચ થયો છે.
છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
ભાવનગર જિલ્લામાં ૩૪૩૬ આવાસો મંજૂર થયા છે. જે પૈકી ૩૦૧૦ આવાસોનાં કામ પૂર્ણ
થયા છે અને તે માટે કુલ રૂ.૪૪૦૬.૨૦ લાખનો ખર્ચ થયો છે.

પાટણ જિલ્લામાં ૧૦,૨૧૭ આવાસો મંજૂર થયા છે. જે પૈકી
૯,૦૯૭ આવાસોનાં કામ પૂર્ણ થયા છે અને તે માટે કુલ રૂ.૧૦,૯૧૬.૪૦ લાખનો ખર્ચ થયો
છે.
ખેડા જિલ્લામાં ૫૮૫૪ આવાસો મંજૂર થયા છે. જે પૈકી ૫૨૬૦ આવાસોનાં કામ પૂર્ણ
થયા છે અને તે માટે કુલ રૂ.૫૯૫૩.૯૦ લાખનો ખર્ચ થયો છે.
જામનગર જિલ્લામાં