વડા પ્રધાનએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું

ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.
દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને આગામી થોડાં દિવસોમાં ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાં પર ચર્ચા કરે છે.
આ સંમેલનને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે.   ફિલ્ડ ડે નાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે.
ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે.   જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે 170 ટકાનો વધારો થયો છે.
આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે. રાજ્યમાં વાવતેર માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, અહીં કોલ્જ સ્ટોરેજની શ્રેષ્ઠ સુવિધાઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સારું જોડાણ ધરાવે છે.  , અત્યારે ગુજરાત રાજ્યમાં મોટી પોટેટો પ્રોસેસિંગ કંપનીઓ ધરાવે છે અને મોટા ભાગનાં બટાટાનાં નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. એના પરિણામે દેશમાં રાજ્ય બટાટાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે  ખેડૂતો અને સરકારી નીતિનો સુભગ સમન્વય થવાથી ભારત દુનિયામાં ઘણી દાળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં ટોચનાં 3 દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને દરેક સ્તરે પ્રોત્સાહન આપવા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી, મૂલ્ય સંવર્ધનમાં મદદ અને વડા પ્રધાન કિસાન સમ્પદા યોજના દ્વારા વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ.
ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા.   એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે.   સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે.
વિજ્ઞાનીઓને અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, ડ્રોન ટેકનોલોજી દ્વારા કૃષિમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન   વિજ્ઞાની અને નીતિનિર્માતાઓના સમુદાયની જવાબદારીએ જોવાની છે કે, કોઈ ભૂખ્યું ન રહે કે કોઈ કુપોષિત ન રહે.

વિજય રૂપાણી
મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પોટેટો કોન્કલેવ-ર૦ર૦નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, બટાટાની કુલ ૪ લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું ૧ લાખ ટન જેટલો હિસ્સો આપે છે.
વિશ્વમાં બદલાતી જતી ખાન-પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક છે.
વિશ્વના વિવિધ દેશોના બટાટા ઉત્પાદકો-પ્રોડયુસરોનું આ ગ્લોબલ કોન્કલેવમાં થનારૂં વૈચારીક આદાન-પ્રદાન ઉપયુકત બની રહેશે.
ગુજરાતમાં યોજાઇ રહેલી આ કોન્કલેવ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે   અગાઉ માત્ર શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા બટાટામાંથી હવે ફ્રેન્ચ ક્રાઇસ, પોટેટો ચિપ્સ, કયુબ્સ ગ્રેન્યુઅલ જેવી વસ્તુઓ પણ બનતી થવાથી વેલ્યુએડીશન ગ્લોબલ માર્કેટ મળ્યું છે.
બટાટાની ખેતીમાં માઇક્રો ઇરીગેશન અંતર્ગત ૧.૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.
રાજ્યમાં પાછલા દોઢ દશકમાં બટાટાનું ઉત્પાદન ૮ ગણું વધી ગયું   ૬ લાખ મેટ્રિક ટનથી આ ઉત્પાદન ૩૭ લાખ મે.ટન પર પહોચ્યું છે.
બટાટા ઉત્પાદકોને કુલ ર૩ લાખ મે.ટનથી વધુ ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ તથા વાહતુક સબસિડી પેટે રૂ. ૨૬.૬૬ કરોડ આપ્યા છે.
વિશ્વમાં ઘઉં અને ચોખાની ખપત બાદ બટેટાની ખપત સૌથી વધુ છે અને બટેટા શાકભાજીમાં સામંજસ્ય-સમરસતાનું આગવું ઉદાહરણ છે

નરેન્દ્ર તોમર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન  નરેન્દ્ર તોમરે ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ વૈશ્વિક કોન્ફરન્સ ખેડૂતો, તજજ્ઞો, સંશોધકો અને ઉદ્યોગ જગતના લોકોને તેમના સંશોધનો અને વિચારોના આદાન-પ્રદાન માટેની ઉમદા તક પૂરી પાડશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં આપના દ્વારા જે વિચાર મંથન થશે અને જે નિષ્કર્ષ આવશે તે માટે ભારત સરકાર ચોક્કસ વિચારશે અને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે.
ભૂતકાળમાં ઉત્પાદન એક પડકાર હતો એના નિરાકરણ માટે સંશોધનો અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. જેના પરિણામે આજે દેશ ખાદ્યાન્ન ઉત્પાદન, દૂધ ઉત્પાદન, બાગાયત જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યો છે.

બટાટા ક્ષેત્રે સંશોધન, વેપાર અને ઉદ્યોગમાં રહેલી તકો અને સિદ્ધિઓ માટે દર દસ વર્ષે યોજાતી આ કોન્કલેવ આવનારા દાયકા માટે એક રોડમેપ બની રહેશે. છેલ્લા બે દાયકામાં બે વૈશ્વિક બટાટા સંમેલનનું ૧૯૯૯ અને ૨૦૦૮માં દિલ્હી ખાતે આયોજન થયું હતું. ગુજરાત દેશમાં બટાટાનું ઉત્પાદન કરનારા અગ્રણી ઉત્પાદકો પૈકીનું એક રાજ્ય છે. છેલ્લા ૧૧ વર્ષમાં ભારતમાં બટાટાનું ઉત્પાદન કરનારા વિસ્તારમાં ૧૯ ટકાનો વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં ૧૭૦ ટકા વધારો જોવા મળ્યો છે. ૪૦ લાખ પરિવારો આ ક્ષેત્રે જોડાયા છે અને રોજગારી મળી છે. બટાટા ઉત્પાદનમાં દેશમાં છેલ્લા દાયકામાં ૫૩ટકા વૃદ્ધિ થઇ છે અને પ્રતિવર્ષ ૩ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. એટલે વર્ષ-૨૦૫૦ સુધીમાં ૧૫૦ ટકા વૃદ્ધિ થાય તેવું અનુમાન છે,.
બટાટાના સંશોધન ક્ષેત્રે સિમલા અનુસંધાન સંસ્થાન કેન્દ્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમ દ્વારા અનેક નવા સંશોધનો હાથ ધરાયા છે જેના પરિણામે વૃદ્ધિ થઇ છે સંસ્થાન દ્વારા ૭ પ્રસંસ્કરણ અને ૨૫ પ્રજાતિનું સંશોધન કરાયું છે. જેના દ્વારા પ્રતિ વર્ષ ૩૦ હજાર ટન ઉત્પાદન થાય છે. બટાટાનો ઉદગમ દક્ષિણ અમેરિકાની ઇન્ડિજ પર્વતમાળામાં થયો હતો. તેમ છતાં ય હાલના તબક્કે બટાટાનું ઉત્પાદન ભારત દેશમાં એ હદે વધ્યુ છે કે, ચીન પછી ભારત દેશ બટાટા ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઉભા થનારા પડકારોની અસરો ખેતી પર થઇ શકે તેમ છે ત્યારે આ પડકારોનો સામનો કરવા આજની આ પરિષદ અસરકારક પુરવાર થશે.

પરષોત્તમ રૂપાલાએ
કેન્દ્રિય કૃષિ રાજ્ય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાતની ધરતી પર આયોજીત કરવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, શાકભાજીમાં રાજાનું સ્થાન ધરાવતા બટાટાનું ઉત્પાદન સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોની સમજને કારણે આ રાજ્ય બન્યું છે. હજુ બટાટાની ખેતીમા સંશોધનો થાય તે આવશ્યક છે. દેશમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ જોતા ડાયાબિટીસને નિયંત્રીત કરવા માટે પણ કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધનો કરવા જરૂરી છે. બટાટામાં શર્કરાનું પ્રમાણ વધે હોય છે ત્યારે હવે સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા જોઈએ.. આ આંતરરાષ્ટ્રીય સંમેલન થકી આવી અનેક સમસ્યાઓના ઉકેલ આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સંશોધનો અને બટાટાના ઉત્પાદન સંદર્ભે થયેલા સંશોધનો સહિતની માહિતીપ્રદ માહિતી પુસ્તિકાઓનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિવિધ રાજ્યોમાં ખેતી ક્ષેત્રે સંશોધન કરીને આગવી ઓળખ ઉભી કરનાર સંશોધનકર્તા ખેડૂતોને પ્રમાણપત્ર-એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી દાડમની ખેતીથી સુપ્રસિદ્ધ થયેલા બનાસકાંઠાના પદ્મશ્રી ગેમા પટેલ અને વિશિષ્ટ પ્રકારની ગાજરની ખેતી માટે જૂનાગઢના ખેડૂત પદ્મશ્રી વલ્લભનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે આઇ.સી.એ.આર.ના સચિવ  ત્રિલોચનસિંહ મહાપાત્રએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં કૃષિ મંત્રી  આરસી.ફળદુ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ  પુનમચંદ પરમાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ ક્ષેત્રે સંકળાયેલા વિભાગના અધિકારીઓ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, કૃષિ સંશોધકો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.