વાહનોમાં મંદીની અસર ભાજપને ચૂંટણીમાં બ્રેક મારશે

11 એપ્રિલથી ચૂંટણીઓનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચૂંટણી ટાણે માર્કેટ સતર્ક બની ગયું છે, તો માર્કેટમાં પણ ચૂંટણીની સમયગાળા દરમિયાન ઉથલ-પાથલ સર્જાવાની ભીંતિ સેવાઈ રહી છે. કાર કંપનીઓ દ્વારા ઓફર, ડિસ્કાઉન્ડ સહિતના વિવિધ પ્રલોભનો આપવા છતાં ગત વર્ષે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. આ ઘટાડો છેલ્લા પાંચ વર્ષમાંનો સૌથી ઓછો હતો. ચૂંટણીને કારણે માર્કેટ પર થતી અસરોને લીધે પેસેન્જર વ્હિકલની વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો છે. ચૂંટણીના પરિણામો બાદ પેસેન્જર વ્હિકલનું વેચાણ વધે તેવી શક્યતા ઓટો ઉદ્યોગના અંદાજ પ્રમાણે, 2018-’19માં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 3 ટકા કરતાં પણ ઓછા દરે વધીને 33-34 લાખ યુનિટ થયું હતું. કંપનીઓને અપેક્ષા છે કે, મેના અંતે ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ વેચાણ ફરી વેગ પકડશે. મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું હતું કે, “આવતા થોડાક મહિનામાં સલામતી અને પ્રદૂષણને લગતા વિવિધ નિયમો અમલી થવાના છે. ગ્રાહકો ભાવ વધે તે પહેલાં વાહન ખરીદવાનું પસંદ કરે તેવી શક્યતા લાગે છે. હું માનું છું કે, આ નાણાકીય વર્ષ (2019-’20) ગયા વર્ષ કરતાં ઘણું સારું રહેશે. તેમણે વેચાણમાં અંદાજિત વૃદ્ધિ અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું પરંતુ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ઝડપી રિકવરી આવશે. મારુતિનું ડોમેસ્ટિક વેચાણ નજીવું વધ્યું માર્ચમાં તેની મિડ-સાઇઝ સેડાન સિઆઝનું વેચાણ 15 ટકા ઘટીને 3,672 યુનિટ થયું હતું જ્યારે યુટિલિટી વ્હિકલ્સનું વેચાણ 12.3 ટકા વધીને 25,563 યુનિટ થયું હતું. માર્ચ મહિનામાં મારુતિનું ડોમેસ્ટિક વેચાણ 0.7 ટકા જેટલું નજીવું ઘટીને 1,47,613 યુનિટ થયું હતું. મારુતિની અલ્ટો અને જૂની વેગનઆરનું વેચાણ 55.1 ટકા ઘટીને 16,826 યુનિટ થયું હતું. કોમ્પેક્ટ કાર્સ (નવી વેગનઆર, ઇગ્નિસ, સેલેરિયો, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર)નું વેચાણ 19.8 ટકા વધીને 82,532 યુનિટ થયું હતું. ગયા નાણાકીય વર્ષના પ્રારંભમાં મજબૂત વેચાણવૃદ્ધિને કારણે મારુતિએ ગયા નાણાકીય વર્ષમાં હોલસેલ વોલ્યુમમાં 6.1 ટકા વૃદ્ધિ કરી હતી અને 17,53,700 યુનિટનો વિક્રમ આંકડો હાંસલ કર્યો હતો. મારુતિએ ડોમેસ્ટિક વેચાણમાં સતત સાતમા વર્ષે વૃદ્ધિ નોંધાવી છે. કાર કંપનીઓની તગડી ઓફરો છતાં નેગેટિવ વૃદ્ધિ કંપનીઓએ નવા વેરિયન્ટ્સ લોન્ચ કરીને તેમજ તગડા ડિસ્કાઉન્ટ ઓફર કરીને ગ્રાહકોને માર્ચ મહિનામાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને સફળતા મળી હતી પરંતુ એકંદર મૂડ નેગેટિવ જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલાંના સમયગાળામાં ગ્રાહકો દ્વારા ખર્ચ કરવાનું ઘટી ગયું છે અને બિઝનેસ સેન્ટિમેન્ટ પર થોડાક સમય પૂરતી અસર પડી છે.” એમ ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી MD એન રાજાએ કહ્યું હતું. મારુતિ સુઝુકીએ તેની સૌથી વધુ વેચાતી વિટારા બ્રેઝા પર ₹30,000 સુધીની બચતની ઓફર કરી હતી જ્યારે ઇગ્નિસ પર ₹33,000ની આસપાસ ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા અને અલ્ટો800, અલ્ટોK10 તથા સેલેરિયો માટે ₹50,000 સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી. દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ગ્રાન્ડ i10 પર ₹75,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું જ્યારે એલાન્ટ્રા અને ટક્સન પર ₹50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. માર્ચમાં ટોયોટાનું વેચાણ બે ટકા વધ્યું હતું જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ 4 ટકા વધ્યું હતું.