વિરોધ પક્પષના નેતા રેશ ધાનાણીનું પૂતળું ફૂંકી માર્યું

અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. અમરેલી ખાતે સત્તા સ્થાને બેઠાલા ભાજપ યુવા મોરચાના આગેવાનોએ પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કરી ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મનિષ સંઘાણીની અટકાયત કરી હતી. પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગ કરી હતી.

ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો અને પરેશ ધાનાણીને એક દિવસ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સરદાર પટેલની પ્રતિમાને ભંગાર સાથે સરખાવતા ભાજપે હોબાળો મચાવ્યો હતો અને તેમણે પરેશ ધાનાણીને માફી માંગવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 2013-14મા ભાજપે સરદાર પટેલના નામે રાજકીય રોટલા શેકવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કાર્યક્ર જાહેર કર્યો હતો.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, BJPએ લોકોના ઘરે જઇ ભંગારના ભૂકાથી સરદારની પ્રતિમા બનાવવાનું કામ કર્યું છે. સરકારે સરદારની લોખંડી પ્રતિભાને ભંગારના ભુકાથી કેદ કરવાનું પાપ કર્યું છે.

પરેશ ધાનાણી પર નીતિન પટેલે જાણો શુું કહ્યું…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન મામલે નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે હજારો વર્ષથી જોતા આવ્યા છીએ કે, કોઈ પર્વતમાંથી આરસની પથ્થર નીકળ્યો હોય ત્યારે તેમાંથી માતાજીની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની શિવલિંગ બનાવવામાં આવે પછી આપણે તેને પથ્થર તરીકે નથી જોતા. એ ભગવાન છે, દેવ છે, માતાજીની મૂર્તિ છે, શિવલિંગ છે એ રીતે આપણે તેનું પૂજા હજારો વર્ષથી કરતા આવ્યા છીએ. કોઈ વીધર્મી એમ કહે કે, આ માતાજીની મૂર્તિ પથ્થર છે. કોઈ ધર્મનો દુશ્મન એક કહે કે, આ શિવલિંગ પથ્થરનો ટુકડો છે. તો કોઈ હિંદુ તેને ચલાવી લે નહીં. ત્યારે સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ વિરાટ પ્રતિમા છે, ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે. તેને કોઈ પણ વ્યક્તિ અમૂલ્યાંકિત કરવા જશે તો અમે સહેજ પણ ચલાવી લેવાના નથી.

આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ઈચ્છી રહ્યા છે કે, પરેશ ધાનાણીને ભૂલ કરી છે તેમણે માફી માંગવી જોઈએ પણ તેઓ જાહેરમાં બોલતા નથી. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ખૂબ જ દૂખમાં છે. પરેશ ધાનાણી જે બોલ્યા છે, તેનુ સંપૂર્ણ નુકશાન તેમને નહીં પણ આગામી દિવસોમાં કોંગ્રેસને થશે. આ બાબતે પરેશ ધાનાણી હજુ પણ માફી નહીં માંગે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં ત્યાં વિરોધ કરશે. કોંગ્રેસને સરદાર પટેલના આ અપમાનનુ ખૂબ મોટું નુકશાન આગામી દિવસોમાં સહન કરવું પડશે. આખો દેશ એ જાણે છે કે, કોંગ્રેસે હંમેશાં સરદાર પટેલને અપમાનિત કર્યા છે.