મોરબીના રવાપરગામના કેનાલ રોડ પહોળો કરવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. રવાપર કેનાલ રોડ વિસ્તારમાં 50 વૃક્ષોમાંથી આજે તંત્રએ 10 વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લત્તાવાસીઓએ વૃક્ષોની હત્યાનો વિરોધ નોંધાવી બેસણું યોજ્યું હતું. તેમજ જો બાકીના વૃક્ષો કાપવામાં આવશે તો લત્તાવાસીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઘનઘોર વૃક્ષોનું વિચ્છેદન તંત્ર દ્વારા કરી નાખવામાં આવી રહ્યું છે. જેના ઉછેર માટે મારબી વાસીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી. જેથી રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની રહેવાસી મહિલાઓ, બાળકો અને યુવાનો સહિતનાએ વૃક્ષોની હત્યા કરવામાં આવી હોય તેનું બેસણું યોજી વિરોધ નોંધાવ્યો હતો. તો તંત્રના વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. પુરૃષો અને મહિલાઓ પોક મૂકીને રડી પડ્યા હતા. તેમને પ્યારા વૃક્ષોને કુહાડાથી કાપી કાઢવામાં આવતાં આવું કર્યું હતું. વૃક્ષો કેમ કાપી કાઢવામાં આવ્યા તે અંગે હજુ સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી નથી.