28 ફેબ્રુઆરી 2019એ 1961 પછી 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મુલતવી રાખવામાં આવી છે. બેઠક માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા પુર્ણ થઈ ગઈ હતી. સરહદે ઉભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવીધીને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એક માત્ર વિચારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમ સ્થગીત કર્યો હતો. જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તમામ રાજકીય કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું કે, પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઉભી રહેલી કોંગ્રેસ રાજકીય હીસાબો સમયઆવે ચુંટણીના મેદાનમાં પુરા કરી લેશે પરંતુ આજે જ્યારે પાકીસ્તાનનો હીસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પુરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દીશામાં લેવાયેલા આ પગલા બદલ કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે.
પાકીસ્તાનને બે બે વખત યુધ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કોંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. ઇંદીરાજીને દુર્ગા કહેનાર વાજપેયીજી જેવી ઉત્કૃષ્ટ પરંપરા જેવો વ્યવહાર કરી રાહુલજીએ રાજકીય કટુતા વચ્ચે પણ દેશ હીતમાં સાથે હોવાનું માધુર્ય દાખવી મન જીતી લીધું.
પુલવામાં હુમલા બાદ પોતાની પ્રથમ રાજકીય પ્રેસ કોન્ફરન્સ રદ કરી મૌન રાખનાર પ્રિયંકા ગાંધી હોય કે ત્રણ દીવસનો રાજકીય શોક જાહેર કરી પક્ષના કાર્યક્રમો રદ કરનાર રાહુલ ગાંધી હોય બન્ને સંતાનોમાં ઇંદીરા અને રાજીવના દેશ માટેના બલીદાની રક્ત દોડે છે તે સાબીત કરી દીધું.
જનસંકલ્પ રેલીમાં ઉમડતી ભીડની પણ ચિંતા કરવાની સાથે આ ભીડનો ઉન્માદ ક્યાંક રાજકીય એકતાની મર્યાદા ના ચુકી જાય એની ફીકર પણ આ નિર્ણય નું એક કારણ છે.
જ્યારે વાત દેશની સુરક્ષા અને અખંડતાની આવે ત્યારે તે અમારા માટે પહેલા દેશના વડાપ્રધાન છે. અમારા પ્રધાનમંત્રીને અમે એકલા અટુલા ક્યારેય નહીં પડવા દઈએ એનો આ વિપક્ષી હુંકાર પણ ગણી શકાય જે તંદુરસ્ત ને પરિપક્વ લોકશાહીની નિશાની છે.
ચુંટણી આવશે ત્યારે ચૂંટણીના મેદાનમાં અને જનતાની અદાલતમાં એક બીજા ને જોઈ લઈશું પરંતુ હાલ ભેગા મળી પાકીસ્તાનને જોઈ લેવાનું છે આ સંદેશ રાજકારણ પ્રત્યે સુગ સેવતા લોકો માટે પ્રોત્સાહક સાબિત થશે. રાજકીય ગરીમા અને પરિપક્વતા એ સાવ દેવાળું નથી ફુંક્યુ એ આ ઘટના થી સાબિત થાય છે..
નરેન્દ્ર મોદી વડાપ્રધાન એ તેમની દેશ વ્યાપી 15,000 સ્થળોએ રાજકીય વિડિઓ કોન્ફરન્સ કરી હતી. પુલવામામાં 42 જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ અહીં પણ રાજકીય રીતો ચાલુ રાખી હતી. ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા પક્ષ હિત તમામ રાષ્ટ્રીય હિતો કરતા ઉપર રહ્યું છે એમાં પણ દેશ જયારે સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે, ભાજપ માટે પક્ષ હિત મહત્વનું છે નહીં કે રાષ્ટ્રહિત તે તેમણે ચાલુ રાખેળી રેલીથી સાબિત થયું છે.