શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા પાકને જીવતદાન

આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે, ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે સરકાર હવે સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટાભાગના ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગવડા ડેમમાંથી પણ ખેડૂતોને શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે.
ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગવડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ 10 ગામનાં ખેડૂતોની 1000 હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે. કેનાલમાં 125 ક્યુસેક પ્રવાહ પાણીનો જથ્થો વહી રહ્યો છે. જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના ખેડૂતોનાં ખેતર રવિપાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. ઘઉં તેમજ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે. આ પાક માટે જરૂરી પાણી શીંગવડા ડેમ માંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શીંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શીંગવડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી જે 10 ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે.