સંતરામપુર, તા:૧૬
દેશભરમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે, તેની વચ્ચે મહિસાગરના સંતરામપુરથી એક દુ:ખદ સમાચાર આવ્યાં છે, સંતરામપુરના કેનપુર ગામે ધ્વજ વંદનના કાર્યક્રમમાં 2 વિદ્યાર્થીઓનાં મોત થઇ જતા ચકચાર મચી છે, ગામની હાઇસ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે તિરંગાની પાઇપ ઉભી કરી રહ્યાં હતા, ત્યારે પાઇપ ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર્કમાં આવી ગઇ હતી અને 2 વિદ્યાર્થીઓને કરંટ લાગતા તેમના મોત થઇ ગયા છે, જેથી પરિવારજનોએ સ્કૂલના સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે, ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, અચાનક બે વિદ્યાર્થીઓનાં મોતથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.