સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર  

23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રધાંજલી આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઈકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો અને લોકો તથા હોટેલ માલિકો પરેશાન થશે.

બંધની સજા

તાજેતરમાં મરેલાં 23 સિંહોના મોતની તપાસ થાય ને જવાબ દાર વનવિભાગ ના અધિકારી ઓ સામે કડક પગલાં લેવા માટે વિજય રૂપાણી સરકાર પર દબાણ લાવવા માટે ધારી શહેર અને આસપાસના ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. 23 સિંહો ને શ્રદ્ધાંજલિ અપાય એ માટે ગામ બંધ રાખ્યું પણ એનું પરિણામ સરકારને વનવિભાગ દ્વારા ઇકો જોન ને કડક બનાવવામાં આવ્યું છે.

મકાન પણ નહીં બને

ધારીની આસપાસ ખેડૂતો હવે તેના જ ખેતરમાં કોઈ બીજું કામ નહીં કરી શકે. રહેવા માટે મકાન પણ નહીં બનાવી શકે. વળી, ચાલતી હોટેલ કે રેસ્ટોરેન્ટને બંધ કરી દેવી પડશે. સોમવારથી અહીં કેટલી હોટેલો છે તે અંગે સરવે શરૂ કરવામાં આવ્યો છે.

ભાજપે એકતા યાત્રા અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા એલાન આપ્યું

આ બાબતને ધ્યાનમાં લઈને 22 ઓક્ટોબર 2018ના રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ એવા તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ધારીના લોકો એકતા આત્રાનો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું હતું. ભાજપ પણ એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું જાહેર કરાયું છે. જો ઈકોસેન્ટેસીટ ઝોન વધું કડક કરાશે તો ભાજપના આગેવાનો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.

આંબરડી સફારી પાર્ક જ્યારથી શરૂ થયો છે તે બદનામ થાય અને તેનું વ્યવસ્થા તંત્ર પડી ભાંગે તે માટે અહીંના ખાનગી સફારી પાર્ક ધરાવતાં વગદાર લોકો પ્રયાસો કરી રહ્યાં છે.

ઈકો સેન્સેટીવ ઝોન ઘટાડો

હવે અહીંના લોકો માંગણી કરી રહ્યાં છે કે ઈકોસેન્સેટીવ ઝોન હઠાવો. તમે સિંહને સાચવી શકતાં નથી તે તમારી નિષ્ફળતાં છે તેમાં અમારો શું વાંક એવું વન વિભાગને સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. ઈકો સેન્સેટીવ ઝોનના કાયદો અન હદ ઓછી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોર્ટમાં પડકારવામાં આવશે.

9 ઓક્ટોબર 2018માં ધારીએ બંધ પાડ્યો હતો.

ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં વાઇરસ, ઈન્ફેકશનથી 23 સિંહને યોગીજી ચોક ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ધારીએ સજ્જડ બંધ પાળ્યો હતો. સિંહો માટે બંધ પાળવાની અપીલ કરનાર બજરંગ ગૃપને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે મંગળવારે ગામ  બંધનું એલાન આપ્યું હતું. જેને હીરા ઉદ્યોગ મંડળ, કટલેરી મંડળ,  કાપડ મંડળ, માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હતો તેથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો.

સિંહનું બેસણું

વન વિભાગ પાસે સિંહોના મૃતાત્માને અંજલિ આપવા માટે ઉપવાસ કરવાની મંજૂરી વન અને પોલીસ વિભાગ પાસે માંગવામાં આવી હતી પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી વન વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા હતાં. સિંહના મોતને સાચો ન્યાય મળે એવી ભાવના લોકોની હતી. મૃતક વનરાજાનું બેસણું વિસાવદર બસ મથકે સવારે 10થી બપોરે 2 સુધી યોજવાનું નક્કી કર્યું હતું પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી.

સિંહને પરિવાર માને છે

પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે. ગીરના લોકો સિંહને પોતાના પરિવારના સભ્ય માને છે. પોતાના કુટુંબના સભ્યો એવા સિંહના મોત થતાં તેઓને આઘાત લાગ્યો હતો અને વન વિભાગ વિરૃદ્ધ બંધ પાળ્યો હતો.

સિંહ પ્રેમ

બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના મોત એક સાથે કયારેય થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે.

હજુ પણ મોતનો છાયો

બીજા ત્રણ સિંહ બાળના મોત થતાં હજુ પણ સિંહો પર મોતનો ખતરો મંડરાઇ રહયો છે. 3૦ જેટલા સિંહોને રેસ્કયુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા, તેથી તેની ચિંતા પણ ધારીના લોકોને હતી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે. બંધ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરાયો હતો.