સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુઓ માટે કાયદો આવશે

લોકોને હજુ કાયદામાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ કાયમી ધોરણે જળવાઇ રહે તે આજની આવશ્યકતા છે તેમ જણાવી તેમણે છેવાડાની માનવીને ઝડપી ન્યાય મળે, સાચા ન્યાયની પ્રતિતિ થાય, કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે કાર્યરત થવા ન્યાય જગતને અપીલ કરી હતી.
સરકારે દારૂબંઘી, ગૌ હત્યા, હુક્કાબાર માટેના કડક કાયદા બનાવ્યા છે અને હજુ આગામી સમયમાં સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુઓ માટે કડક કાયદો લાવવાની નૂક્તેચીની મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. ભાવનગરની કોર્ટની એક જમાનામાં ગુજરાતના હાઇકોર્ટ તરીકેની નામના ધરાવતી હતી. આ કોર્ટની જગ્યાએ નવી કોર્ટ બને તે માટે લાબાં સમયથી માંગણી હતી પરંતુ રાજય સરકારના ‘ગવર્મેન્ટ ઓન ફાસ્ટ ટ્રેક’ના દ્રષ્ટિકોણથી ઝડપથી કોર્ટની જમીનની માંગણી સંતોષાઇ છે.

અગાઉ કાયદા વિભાગનું બજેટ હતું. તેમા માતબર વધારો કરી ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૮૦૦ કરોડની જોગવાઇ વિભાગ માટે કરી છે. નવી બનનાર ભાવનગરની કોર્ટ રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવશે તેની વિગતો તેમણે આપી હતી.
ભાવનગરની કોર્ટ અત્યાધુનિક બનાવવામાં આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, લોકો પોતાની આસ્થા અને શ્રધ્ધા સાથે કોર્ટમાં ન્યાયની અપેક્ષા સાથે આવે છે. ત્યારે નાગરિકોને રસ્તો ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્યના ૨૪૯ તાલુકાઓમાં તાલુકા કોર્ટની સ્થાપના કરી દીધી છે. નવા બનેલ ૭ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાની અદાલતો કાર્યરત કરી દીધી છે. આગામી સમયમાં ૨૨૧ નવા એ.પી.ની નિમણુક કરવામાં આવશે તેની તેની વિશદ વિગતો મંત્રીએ આપી હતી.
ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ ચેતનભાઇ આસ્તિકે જણાવ્યું કે, જે તે વખતે ભાવનગરની વસતી જે-તે તે વખતે ૬૦ હજારની હતી તેને ધ્યાને લઇ ૧૨૮ વર્ષ પહેલા કોર્ટ બનાવવામાં આવી હતી પરંતુ બદલાતી પરિસ્થિતિ અને સમયના તકાજાને ધ્યાનમાં લઇ નવી કોર્ટ માટેની જમીન રાજ્ય સરકારે ફાળવી છે.