બળાત્કારી નારાયણ સાઈ ભગવાન મટી કેદી નંબર 1750 બની ગયો

અત્યાર સુધી નારાયણ સાઈ કાચા કામનો કેદી હતો. હવેથી તેનું સરનામું સુરતની લાજપોર જેલ છે. બેરેક નંબરસી-6 તેનું નિવાસ બની ગયું છે. જેલમાં કેદી નંબર 1750 તરીકે તે ઓળખ થઈ છે. નારાયણ સાઈને જેલના મેન્યુલ પ્રમાણે જેલનું જ જમવાનું આપવામાં આવે છે. 6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.