14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિષ્ફળ

મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (SWAGAT)નો પ્રારંભ કરાવ્યો હતો.દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા આ રાજય સ્વાગત ઓનલાઇનની અત્યાર સુધીમાં 183 બેઠક થઇ છે. 93.38 ટકા રજૂઆતોનું નિરાકરણ પત્રારો લખીને કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાની રજૂઆતો રાવ- ફરિયાદનું જે તે કલેકટરના અધ્યક્ષસ્થાને નિવારણ લાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો.
તેમાં અત્યાર સુધી મળેલી 85,357 રજૂઆતોમાંથી 85,203નો નિવેડો લાવી દઇ 99.82 ટકા સિધ્ધિ પ્રાપ્ત થઇ હોવાનો દાવો કરવામાં આવે છે. તેમ છતાં આ વર્ષે કલેક્ટર કચીરેએ પોતાનો પ્રશ્નોનો ઉકેલ લાવ્યો ન હોવાના કારણે 2000 લોકોએ આત્મ હત્યા કરવા માટે મંજૂરી માંગી હતી. જો તેઓએ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો હોય તો આ બે હજાર લોકો કેમ આત્મ હત્યા કરવા માંગે છે. તે એક સવાલ છે.
2008થી પ્રતિમાસના ચોથા બુધવારે તાલુકા સ્વાગતની શરૂઆત થઇ છે. તાલુકા સ્વાગતમાં 2,68,686 રજૂઆતો મળી છે તેમાંથી 2.66 લાખ એટલે કે 99.10 ટકા સમાધાન કરી આપવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. 2011થી ગ્રામ્ય સ્વાગતનો પ્રયોગ ગુજરાતમાં શરૂ થયો છે. જેમાં 1.37 લાખ રજૂઆતો આવી હતી. જેમાં 1.24 લાખ પ્રશ્નો ઉકેલીને 90.66 ટકા કામ કરી આપવામાં આવ્યા છે.
મોટા ભાગે તો પત્રો લખી દેવામાં આવે છે અને સૂચના આપી દેવામાં આવે છે. પણ તે કામ થયું છે કે કેમ તેનો કોઈ ટ્રેક રેકોર્ડ મુખ્ય પ્રધાનની કચેરી દ્વરા રાખવામાં આવતો નથી. તેથી મોટા ભાગના પ્રશ્નો તો માત્ર કાગળ પર જ નિકાલ કરી દેવામાં આવે છે.

જોદર વર્ષે 34071 લોકોએ લોકદરબારમાં આવવું પડે છે તેનો મતલબ કે રોજના 94 લોકોની સમસ્યા અધિકારીઓ અને ધારાસભ્યો ઉકેલતાં નથી. તેથી તેમણે મુખ્ય પ્રધાનની કચેરી સુધી પૈસા અને સમય ખર્ચીને આવવું પડે છે. આમ સીસ્યમ નિફ્ષ્ળ છે. એવું તેના પરથી ફલીત થાય છે. જ્યાં સુધી અધિકારીઓની કામ ન કરવાની સજા નક્કી નહીં થાય ત્યાં સુધી રાજકારણીઓ પોતાની કચેરીએ લોક મેળાવડો કરશે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાના લાભ ખાટવાનો પ્રયાસ કરશે.