28 હજાર વિદ્યાર્થીઓની પદવી પરબીડીયામાં રોકાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતી સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા બાદ તેમને હાંકી કઢાયા પછી બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. યુનિવર્સિટીએ ટપાલના પરબીડીયાની ખરીદી ન કરતાં 28 હજાર વિદ્યાર્થીઓને સ્નાતકની પદવીના પ્રમાણપત્ર આપી શકાયા નથી.

2017-18 વિદ્યાર્થીઓની પદવી છપાઈને યુનિવર્સિટીમાં છેલ્લા 15 દિવસથી પડી રહી છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને પદવી આપી શક્યા નથી. આખો મામલો પરબીડીયાની ખરીદીનો છે. પરીક્ષા વિભાગે યુનિવર્સિટીના સ્ટોર વિભાગ પાસે નવા પરબીડીયા માંગ્યા છતાં પંદર દિવસ વીતવા છતાં કવર ખરીદાયા નથી.