72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સલામી આપી હતી. ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કરીને કહ્યું હતું કે મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને 31 ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ દિને નર્મદા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન કરવામાં આવશે. પુતળું બનાવવાની જાહેરાત 2007માં કરી હતી અને પુતળાનું કામ 31 ડિસેમ્બર 2014ના રોજ કામ શરૂ કરવામાં આવ્યું હતું. રૂ.2989 કરોડના આ પ્રોજેકટનું લગભગ 85 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. 182 મીટરના સ્ટેટ્યૂ માટેનું 182 મીટરનું કોંક્રેટ સ્ટ્રક્ટર તૈયાર થઇ ગયું છે. 68000 મેટ્રિક ટન કોન્ક્રીટ,5700મેટ્રિક ટન લોખંડ વપરાયું છે. હવે એમના શરીર પરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટનનું સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર થઇ જશે.
31મી ઓક્ટોબર 2018ના પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. દરરોજ 15000 પ્રવાસીઓ મુલાકાત લે એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મ્યુઝિયમ, નૌકાવીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.
18,000 તળાવો ઊંડા કર્યા
સુજલામ સુફલામ જળ અભિયાનમાં 18,000 તળાવ – ચેકડેમ ઊંડા કરવામાં આવ્યા હતા. અઢી લાખ કરતા વધુને રોજી મળી હતી. 5075 તળાવો ઊંડા કર્યા હતા. 1864 ચેકડેમ 137 જળાશયોમાંથી કાંપ કાઢવામાં આવ્યો હતો. 340 કિ.મી. લંબાઇમાં 32 નદીઓ પૂર્નજીવીત કરીને 13,500 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે. સાથોસાથ 2050 સુધી રાજ્યમાં પીવાના પાણીની કોઇ જ સમસ્યા નહીં રહે. પીવાના પાણીની અછત ભૂતકાળ બની જવાની છે. તેવો દાવો કર્યો હતો. તેમણે કેટલીક વિગતો આપી હતી. રૂ.5000 કરોડની વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ રાજ્યમાં 137 ફિડર સ્થાપી 15 હજાર ખેડૂતોને સૌરઊર્જા સાથે સાંકળી લેવામાં આવશે.
72 માં સ્વતંત્રતા દિવસે ગુજરાતની જેલોમાં રહેલા 85 જેટલા કેદીઓને રાજ્યમાંફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં પંચશક્તિ આધારિત ગુજરાતનો વિકાસ, કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવને પરિણામે 100 ટકા શાળા નામાંકન થયુ છે. ગુણોત્સવથી એક કદમ આગળ, મિશન વિદ્યા થકી બાળકોને વાંચન, લેખન, ગણનનું સઘન શિક્ષણ આપવામાં આવે છે. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત 10 હજાર ડિઝિટલ ક્લાસરૂમ શરૂ કરવાની નેમ છે.
મહિલા અને બાળકોની સુરક્ષા માટે નગરોમાં સીસીટીવી મૂકવા 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પોકેટ કોપ, 181 અભયમ મોબાઇલ એપ થકી પોલીસનું આધુનિકકરણ થઇ રહ્યું છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષના કારાવાસની જોગવાઇ સાથે નવા કાયદાનો વટહુકમ બહાર લાવવામાં આવશે.
ધોલેરાને સિંગાપુર જેવી શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
પાટડીના વણોદમાં 350 હેકટરમાં નવી જી.આઈ.ડી.સી. સ્થાપવામાં આવશે. આ જી.આઈ.ડી.સી. હાંસલપૂર – બેચરાજી પાસેના ઓટો – ઓટો એન્સીલયરી હબના મારૂતિ સૂઝૂકીના પ્લાન્ટથી માત્ર ૧પ કિ.મી. જ દૂર છે. આ માંડલ બેચરાજી સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનનો લાભ પણ મળશે.
સુરેન્દ્રનગરમાં 75 એકર જમીન વિસ્તારમાં એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી.