34 કરોડના ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા વડી અદાલતનો આદેશ

અમરેલી શહેરમાં નવા બનેલા રૂં.34 કરોડના રોડ રસ્તામાં વડી અદાલત દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. 6 અઠવાડિયામાં સરકારે અહેવાલ કરીને વડી અદાલતમાં જણાવવા કહેવામાં આવ્યું છે.
અમરેલીના નાથાલાલ સુખડીયાએ એસ સી એ કરી હતી. અમરેલી નગરપાલિકાના રોડ રસ્તાના ભ્રષ્ટાચાર
બાબતે રજુઆત કરી હતી.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તેમના વતન અમરેલીમાં ભાઈઓ અને ભત્રીજા તથા ભાઈબંધને ફાયદો કરાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એક ફાર્મ હાઉસ તરફ જતો રસ્તો પ્રજાના પૈસાથી બનાવી દેવાયો છે. પોતાની ખેતીની જમીન પર પણ RCC રોડ અમરેલી નગરપાલિકાના ખર્ચે બનાવી દેવાયો છે. તેથી તેમની સામે RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ આ ગંભીર બાબત શોધી કાઢી છે.

તેમનો આરોપ છે કે કોંગ્રેસના નેતાએ 34 કરોડ રૂપિયા નગરપાલિકાના પોતાના માટે વાપરી નાંખ્યા છે. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર છે. અમરેલી નગરપાલિકા કોંગ્રેસનું શાસન છે અને 34 કરોડ રૂપિયાના રસ્તા પોતાના કે સંબંધિતના રસ્તા બનાવવામાં વાપરી નાંખ્યા છે. રસ્તા બનાવ્યા છે જેમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓના લાભાર્થે આ તમામ રસ્તાઓ બનાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેથી તેની ઊંડી તપાસ માટે માગણી કરી છે. પરેશ ધાનાણી આનો જવાબ આપો તેવી લાગણી વ્યક્ત કરી છે.

પરેશ ધાનાણીના સ્થળે જવા માટે 24 લાખના ખર્ચે આ રસ્તાઓ બનાવ્યા છે. પ્રજાના પૈસા વપરાયા છે અને ઉપયોગ ખાનગી રીતે કરવામાં આવ્યો છે. જ્યાં કોઈ માણસો રહેતા નથી ત્યાં ફાયદો કરાવી આપવા માટે પણ એક રસ્તો બનાવ્યો છે. એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ અમરેલી નગરપાલિકાએ કર્યું છે પણ હવે તેમણે જાહેરમાં જવાબ આપવો પડશે. હવે પરેશ ધાનાણી કઈ રીતે સરકારના ભ્રષ્ટાચારની વાતો વિધાનસભામાં કરી શકશે?