34 રાજકીય પક્ષોને 6000 શ્રીમંત લોકો પૈસા આપી ચલાવે છે, ગુજરાતમાં કોઈ પૈસા આપતું નથી.

ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો
રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું.
રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં
ગયા પક્ષી વ્યક્તિગત રીતે કમાય છે. પણ પ્રાદેશિક પક્ષો પાસે કોઈ મૂડી ગુજરાતમાં હોતી નથી. તેઓ પોતાનો પક્ષ માંડમાંડ ચલાવે છે
જેમાં 98 ટકા પાસે તો પોતાની કાયમી કચેરી પણ નથી. પણ દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે તેઓની આવક અસામાન્ય રીતે વધી છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ચૂંટણી પંચ દ્વારા 2016-17
દરમિયાન પ્રાદેશિક રાજકીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા દાન પર કેન્દ્રિત છે. રાજકીય પક્ષોને 100 ટકા કરમુક્તિ મેળવવા
માટે 20 હજારથી વધુ રકમ મળી હોય તો તેની વિગતો જાહેર કરવી પડે છે. 7 પ્રાદેશિક પક્ષો એસએડી, એમજીપી, ડીએમકે,
એઆઈએનઆરસી, એજીઆરપી, એનપીએફ અને ડીએમડીકે) પણ તેમના યોગદાન અહેવાલમાં રૂ. 20,000 થી નીચેના દાનની
વિગતો આપી છે.
કુલ રકમ રૂ.93.37 કરોડ છે, જેમાંથી 6339 દાતાઓ છે
પ્રાદેશિક પક્ષો દ્વારા મેળવવામાં આવેલા કુલ દાનમાં 72.05% અથવા રૂ. 65.83 કરોડ માત્ર ટોચના ત્રણ પ્રાદેશિક પક્ષોને પ્રાપ્ત
થયા છે. કુલ દાનના સંબંધમાં શિવસેનાને મળેલા કુલ 297 દાનમાંથી રૂ. 25.65 કરોડ મેળવીને સૌથીઆગળ છે. ત્યારબાદ આમ
આદમી પક્ષ દ્વારા 3865 દાતાઓ તરફથી રૂ.24.73 કરોડ મેળવેલા છે. એસએડીએ રૂ. 15.45 કરોડની જાહેરાત કરી હતી જે
દેશના તમામ પ્રાદેશિક પક્ષોમાં ત્રીજા ક્રમે છે.
ઉપરાંત SP 6.91 રૂ.6.91 કરોડ, JDS રૂ.4.20 કરોડ, MGP રૂ.3.64 કરોડ, TDP રૂ.1.89 કરોડ, MNS રૂ.1.42, DU રૂ.1.4
કરોડ, RLD રૂ.1.2 કરોડ, DMK રૂ.0.75 કરોડ, AINRC રૂ.0.68 કરોડ, SDF રૂ.0.48 કરોડ, AGP રૂ.0.47 કરોડ, LIP રૂ.0.43
કરોડનો સમાવેશ થાય છે.
AGP, SAD, JDS, MNS અને AAP દ્વરા 2015-16 અને 2016-17 વચ્ચે મળેલા દાનમાં મહત્તમ વધારો કર્યો છે. AGPનું દાન
7183% વધ્યું, ત્યારબાદ SADVનું 5842%, અને JDSનું 596% પૈસાની આવક વધી છે.
રોકડા પૈસાની જાહેરાત
પક્ષોને કોઈ રોકડ રકમ આપે તો તેને કર રાહત મળતી નથી. તેમ છતાં 2014-15 પ્રાદેશિક પક્ષોએ રોકડ દાનમાં રૂ. 2.82 કરોડ
પ્રાપ્ત કર્યા છે. પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ રૂ.91.37 કરોડ માંથી વર્ષ 2016-17 દરમિયાન 1919 લોકોએ
આપેલા રૂ.2.82 કરોડ રોકડ રકમ મળી હતી. જે રાજકીય પક્ષોને કુલ દાનમાં 3.09% હિસ્સો થાય છે. AINRC દ્વારા મહત્તમ રૂ.
65 લાખનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે AGPએ રૂ.41.2 લાખ અને NPF દ્વારા રૂ. 41 લાખ અપાયા હતા.

તમામ રાજ્યોમાં, આસામના દાતાઓએ રૂ.72.7 લાખના રોકડમાં સૌથી પૈસા આપ્યા હતા. ત્યારબાદ પોંડુચેરીમાં પૈસા
આપનારાઓએ કુલ રૂ. 65.3 લાખ રોકડા આપ્યા હતા. ગુજરાતના લોકો પ્રાદેશીક પક્ષને નાણાં આપતાં નથી.
રૂ.60 લાખની રોકડ રકમ આપનારની વિગતો પક્ષોએ આપી નથી. તે છુપાવી રહ્યાં છે. 6 પ્રાદેશિક પક્ષો NPF, MGP,DMK, BPF,
શિવસેના અને AGPએ વર્ષ 2016-17માં આવા રોકડ રકમ મેળવી હતી.
ટોચના પાંચ પ્રાદેશીક પક્ષો પૈકી, માત્ર શિવસેનાને વર્ષ 2015-16માં મેળવેલી રકમમાં ઘટાડો થયો હતો. 2015-16માં મળેલી
રકમની સરખામણીએ 2016-17માં 70% અથવા રૂ.61.19 કરોડનો જંગી ઘટાડો થયો હતો.
પ્રાદેશિક પક્ષો માટે રાજ્યવાર મળતા પૈસા

પ્રાદેશિક પક્ષોએ જે પૈસા આપેલાં જેમાં સરનામાં એવું બતાવે છે કે, 29 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો અને 27 દેશોમાંથી નાણાં
મેળવ્યા હતા. માત્ર આમ આદમી પક્ષે વિદેશી દાનની જાહેરાત કરી છે.
પ્રાદેશિક પક્ષોએ દિલ્હીથી સૌથી વધુ નાણાં રૂ.20.86 કરોડ મેળવ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી અલગ અલગ કંપનીઓના વડા
મથકેથી રૂ.19.7 કરોડ અને પંજાબથી રૂ. 9.42 કરોડ, કર્ણાટક રૂ.8.24 કરોડ, આંધ્રપ્રદેશ રૂ.1.61 કરોડ મેળવ્યા હતા. જેમાં ગુજરાત
કે અમદાવાદ આગળ નથી.
કૂલ નાણાં પક્ષોને મળે છે તેમાં રૂ.8.82 કરોડ એટલે કે 35.67 ટકા વિદેશમાંથી નાણાં મળ્યા હતા.
જે નાણાં મળે છે તેમાં રૂ.14.38 કરોડ રકમ એવી છે કે જેના સરનામાં પણ મળતા નથી કે તે કોણ છે તેની સાચી વિગતો મળતી
નથી.
પૈસા માટે પાન નંબરની વિગતો
પૈકી 25 પ્રાદેશિક પક્ષોએ નાણાં આપનારના પાન કાર્ડ નંબર જાહેર કર્યા હતા. જ્યારે 18 પક્ષોએ પૈસા આપવાના નામો જાહેર કર્યા ન
હતા. પ્રાદેશિક પક્ષો દ્વારા મેળવવામાં આવેલ રૂ.23.08 કરોડ એટલે કે 25.26% પાસે PAN વિગતો નથી. BPF, MGP, PMK,
RJD, ZNP જેવા પક્ષોએ પોતાને મળેલી તમામ એટલે કે 100 ટકા રકમ જાહેર કરી છે, પણ તેમણે પાન કાર્ડ નંબર જાહેર કર્યા નથી.
આમ આદમી પક્ષ એક માત્ર એવો પક્ષ છે કે જેમણે વિદેશતી રૂ.8.82 કરોડ આવ્યા હોવાની જાહેરાત કરી હતી, જેના પાન નંબર
નથી.
સર્વોચ્ચ અદાલતે 13 સપ્ટેમ્બર, 2013 ના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે ઉમેદવારની એફિડેવિટનો કોઈ ભાગ ખાલી છોડી ન
જોઈએ. તેવી જ રીતે રૂ. 20,000 થી વધુ દાનની વિગતો પૂરી પાડવા રાજકીય પક્ષો દ્વારા રજૂ કરાયેલા ફોર્મ 24 એનો કોઈ ભાગ
ખાલી હોવો જોઈએ નહીં. પણ રાજકીય પક્ષો સુપ્રિમ કોર્ટનો પણ અનાદર કરી રહ્યાં છે. જેમાં પાન કાર્ડ અને રોકડ રકમનો પણ
સમાવેશ થાય છે. આમ રાજકીય લોકો જ કાયદાનો ભંગ કરી રહ્યાં છે. આવકના 100% પર ટેક્સ ચૂકવવા માટે જવાબદાર ઠેરવવા
જોઈએ. ઉપરાંત રાષ્ટ્રિય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ માહિતી મેળવવાના અધિકાર કાયદા હેઠળ તેમના નાણાંની તમામ માહિતી
પૂરી પાડવી જ જોઇએ. આ રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત બનાવશે.