અમદાવાદની એક રેસ્ટોરાંમાં ૪૦ જેટલી જુદા જુદા પ્રકારની ખીચડી મળે છે. ખીચડી ઈટીસી રેસ્ટોરાંના માલિક ગૌરવભાઈ છે. ટેસ્ટી ખીચડી બનાવવા જુદા જુદા પ્રયોગો કર્યા. ખીચડીને થોડી હેલ્ધી બનાવી અને સાથે સાથે બીજા ફૂડમાં પણ પ્રયોગ શરૂ કર્યા. ૧ નવેમ્બર ૨૦૧૭માં શરૂં કરી ત્યારે ૧૮ પ્રકારની ખીચડી બનાવી હતી. તમામ ખીચડી ખૂબ હેલ્ધી છે. શુદ્ઘ ઘીમાં બનેલી છે. રેસ્ટોરાંમાં કોઈ પ્રકારનું સોફટ ડ્રિંકસ નથી રાખતા. દેશી-ટાઢી છાશ છે. રાંધવામાં કયાંય મેંદો વાપરતા નથી. ઘઉં, દાળ અને ચોખાનો ઉપયોગ કરે છે. નવરંગપુરામાં એક શરૂ કરી. જયારે શરૂઆત હતી ત્યારે લોકોને ફ્રીમાં ખીચડી ખવડાવતા. એક મહિનામાં અમારે ત્યાં ૭૦૦ જેટલા લોકો ફ્રીમાં જમ્યા હતા. એ લોકોમાંથી સજેશન મળ્યા અને લોકોની દરેક કોમેન્ટ પર ધ્યાન આપ્યું. પછી લોકોને ટેસ્ટ ગમતો ગયો અને લોકો આવતા ગયા. બેગ્લુરું ગયો હતો ત્યારે એક કોન્સેપ્ટ ત્યાં જોયો. એક હોટેલમાં ડિફેન્સના લોકોને ફ્રીમાં જમાડતા હતા. રેસ્ટોરાંમાં એવો કોઈ પરિવાર આવે ત્યારે તેણે પોતાનું એક માત્ર આઈકાર્ડ બતાવવાનું રહે છે એટલે અમે તેમને પૂરા માન-સન્માન સાથે તેઓ જે વાનગી ઓર્ડર કરે છે તે જમાડીએ છીએ. પાંચ રેસ્ટોરાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં શરૂ કરી. હવે અમદાવાદ સિવાય બીજા શહેરોમાં પણ રેસ્ટોરાં શરૂ થશે. સુરત, વડોદરા, રાજકોટ, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવાય સુરતમાં આ ખીચડી ઈટીસી શરૂ કરી છે. અમદાવાદમાં પ્રહલાદનગર, નવરંગપુરા, વ સ્ત્રાપુર, મણીનગર અને ચાંદખેડામાં ખીચડી ઈટીસી જોવા મળશે. હાલમાં ૪૫ જેટલા લોકો કામ કરી રહ્યા છે. આ વિસ્તારમાંથી કોઈ પણ જગ્યાએ જમો એક જ પ્રકારનો ટેસ્ટ લાગશે. ખીચડી માટેનું રો મિટીરિયલ એક જ જગ્યાએથી બઘે મોકલવામાં આવે છે.એ પછી ઘી હોય કે ઘઉંનો લોટ. જવાનોના પરિવાર અહીં આવીને ખુબ ખુશ થાય છે. પરિવાર પછી આર્મીનો હોય, નેવીનો હોય કે એરફોર્સનો હોય માત્ર એમના આઈકાર્ડથી જમાડે છે. આ સિવાય પણ અનેક વખત ડિફેન્સના નિવૃત જવાન તથા અધિકારીઓ મુલાકાત લઈ ચૂકયા છે. રૂ.૧૦૦થી લઈને ૨૦૦-૨૫૦ રૂ. સુધીની જુદી જુદી ખીચડી જમવા મળશે. જેમાં દાળ ખીચડી, અક્ષરધામ ખીચડી, સાદી ખીચડી, વઘારેલી ખીચડી, કાશ્મીરી, પંચકુટ્ટા, બાજરા, સાબુદાણાની ખીચડી, મસાલા ખીચડી જેવી અનેક ખીચડીનો સમાવેશ થાય છે.