6.5 કિ.મી.ની મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરી

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ -૧ નું લોકાર્પણ અને ફેઝ -૨ નું ભૂમિ પૂજન થયું હતું. જેમાં અમદાવાદના લોકો મફત મુસાફરીની મજા માણી રહ્યાં છે.
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસમાં ગુજરાતમાં સૌ પ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટ પૈકી ૬.૫ કિલોમીટરના માર્ગ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરીને વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશન સુધી તેમણે મફત મુસાફરી પણ કરી હતી. રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ હતા.
મેટ્રો રેલ પ્રોજેક્ટ ના ફેઝ-૨ મોટેરાથી મહાત્મા મંદિર સુધીના ૨૨.૮૪ કિલોમીટરની કામગીરીનું ભૂમિપૂજન થયું હતું. ફેઝ-૨ ના રૂટમાં ૫.૪૨ કિલોમીટર લાંબા જી.એન.એલ.યુ.થી ગિફ્ટ સીટી કોરીડોરનો સમાવેશ થાય છે. આ માટે રૂપિયા ૬૭૬૯ કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર ઉપર ૨૨ સ્ટેશન તૈયાર કરવાનું આયોજન છે.
વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે સ્વદેશી રીતે નિર્મિત અને ઉત્પાદન કરેલ ઓટોમેટિવ ફેર કલેક્શન ગેટ સ્વાગત નું ઉદઘાટન કર્યું હતું. નેશનલ કોમન મોબિલીટી કાર્ડ ઇકો સિસ્ટમ (એન સી એમ સી) હેઠળ મુસાફરોના જીવનને પરિવર્તિત કરશે. જે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સાથેનું વોલેટ તમામ શહેરોમાં ઓફલાઇન પેમેન્ટ મલ્ટીમોડ વ્યવહારને સહાય કરે છે આ એન સી એમ સી મુસાફરોના તમામ પેમેન્ટની જરૂરિયાતને સ્વદેશી રીતે વિકસિત ઇકો સિસ્ટમ ગેટ અને ટિકિટિંગ સિસ્ટમ મારફતે એક કાર્ડ દ્વારા કરી શકાશે.